ગાંધીનગરમાં UGVCLની મોટી બેદરકારી: PM આવાસના લાભાર્થીને ₹4.97 લાખનું વીજ બિલ

SHARE:

PM આવાસના લાભાર્થીને ₹4.97 લાખનું બિલ
ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રહેતા એક લાભાર્થીને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા ₹4,97,420.38નું વીજ બિલ ફટકારાતા સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
બિલ જોઈ પરિવારના હોશ ઉડી ગયા
પીડિત રણજીત ઠાકુરના જણાવ્યા મુજબ તેમના ઘરમાં સામાન્ય ઘરગથ્થુ વીજળીનો જ ઉપયોગ થાય છે. દર મહિને સામાન્ય બિલ આવતું હતું, પરંતુ આ વખતે લાખો રૂપિયાનું બિલ મળતા પરિવાર આર્થિક અને માનસિક રીતે પરેશાન થઈ ગયો છે.
ટેક્નિકલ ખામી કે મીટર રીડિંગમાં ભૂલની આશંકા
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે સામાન્ય ઘર માટે આટલો વીજ વપરાશ શક્ય નથી. મીટર રીડિંગમાં ગંભીર ભૂલ અથવા ટેક્નિકલ ખામીના કારણે આ બિલ જનરેટ થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
UGVCL પાસે પુનઃચકાસણીની માંગ
પીડિત પરિવારે UGVCL કચેરીમાં લેખિત રજૂઆત કરીને બિલની તાત્કાલિક પુનઃચકાસણી કરવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે ખોટી રીતે જનરેટ થયેલું બિલ રદ કરીને યોગ્ય સુધારો કરવામાં આવે.
હવે કંપની શું કાર્યવાહી કરશે?
આ ઘટનાએ UGVCLની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું રહેશે કે વીજ કંપની આ ભૂલનો સ્વીકાર કરીને લાભાર્થીને ક્યારે રાહત આપે છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરે છે કે નહીં.

Leave a Comment

और देखें
error: Content is protected !!