ટેલિગ્રામને કેન્દ્ર સરકારની કડક નોટિસ: પાઇરેટેડ કન્ટેન્ટ પર 15 દિવસમાં કાર્યવાહીનો આદેશ

SHARE:

પાઇરેટેડ કન્ટેન્ટ મામલે સરકારનો કડક વલણ
ભારત સરકારે લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને ફિલ્મો, OTT કન્ટેન્ટ અને અન્ય ઓડિયો-વિઝ્યુઅલ સામગ્રીની પાઇરસી રોકવા માટે 15 દિવસની નોટિસ ફટકારી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને પોતાની સિસ્ટમ વધુ મજબૂત બનાવી પાઇરેટેડ કન્ટેન્ટ શોધી તેને બ્લોક અને દૂર કરવાની સૂચના આપી છે.
માત્ર ચેનલ બ્લોક કરવાથી નહીં ચાલે
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટેલિગ્રામ માત્ર સરકારના આદેશની રાહ જોઈને બેસી શકે નહીં. IT Act 2000 અને IT Rules 2021 મુજબ ઇન્ટરમિડિયરી તરીકે ટેલિગ્રામે સ્વયં સક્રિય બની કૉપિરાઇટ ઉલ્લંઘન રોકવાની જવાબદારી નિભાવવી પડશે. અગાઉ સરકારે 3,000થી વધુ પાઇરેટેડ ટેલિગ્રામ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.
બોટ્સ, ગ્રૂપ્સ અને એડમિન સામે પણ કાર્યવાહી
સરકારે ટેલિગ્રામને વારંવાર કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતા ચેનલો, ગ્રૂપ્સ, બોટ્સ, એકાઉન્ટ્સ અને તેમના એડમિનિસ્ટ્રેટર્સ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સાથે જ ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સંપૂર્ણ વિગતો પણ સરકાર સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
કૉપિરાઇટ કાયદા હેઠળ ગંભીર ગુનો
મંત્રાલયે યાદ અપાવ્યું છે કે ભારતમાં Copyright Act, 1957 અને Cinematograph Act, 1952 હેઠળ પાઇરસી માત્ર સિવિલ નહીં પરંતુ ગુનાહિત અપરાધ પણ ગણાય છે. તેથી કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને અસરકારક કાર્યવાહી કરવી જરૂરી છે.
NEET-UG દરમિયાન પણ લાગ્યો હતો પ્રતિબંધ
આ પહેલા NEET-UG પરીક્ષા દરમિયાન પેપર લીકના આરોપોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો. હવે પાઇરસી મુદ્દે પણ ટેલિગ્રામે 15 દિવસમાં સરકારને ‘એક્શન ટેકન રિપોર્ટ’ સોંપવાનો રહેશે.

Leave a Comment

और देखें
error: Content is protected !!