લાલકા ગામે ભુંગળાના ખાચા મુદ્દે બે પરિવારો વચ્ચે ઉગ્ર અથડામણ લાકડી–પથ્થર વડે પરિવાર પર હુમલો, ત્રણ સામે ફરિયાદ — ગામમાં તંગદિલી

SHARE:

અહેવાલ..મહેશ મેવાડા ( બાબરા )

   બાબરા તાલુકાના શાંત અને સમાંતર જીવન માટે ઓળખાતા લાલકા ગામમાં મકાનના ચણતર દરમિયાન બનેલી એક સામાન્ય લાગતી બાબતે હિંસક બનાવ સર્જાયો છે. હવા–ઉજાસ માટે ઘરનાં દિવાલમાં ભુંગળા મુકવા માટેના ખાંચા  બાબતે બે પરિવારો વચ્ચે મનદુઃખ સર્જાયું અને એ મનદુઃખ થોડા જ પળોમાં ઉગ્ર અથડામણમાં ફેરવાયું.

 ચણતર દરમ્યાન શરૂ થયેલો વિવાદ

કીશોરભાઈ બાબુભાઈ સોલંકીના મકાનમાં ચણતર નું કામ ચાલી રહ્યું હતું. નિયમ મુજબ હવા–ઉજાસ માટે દિવાલમાં ભુંગળા મૂકવાના હતા. પાડોશી લાવડીયા પરિવારને આ બાબતે વાંધો હતો.સ્થાનિક સૂત્રો મુજબ, કેટલાક દિવસોથી ભુંગળા ના ખાંચા મુદ્દે બે પરિવારો વચ્ચે બોલાચાલી ચાલુ હતી. પરંતું ઘટનાના દિવસે વાતચીત ફરીથી ઉગ્ર બની અને વિવાદ હાથાપાઈ સુધી પહોંચી ગયો.

 લાકડી–પથ્થર વડે હુમલો

  વિવાદ વધતા લાલા બાવાભાઈ લાવડીયા, રાજુ બાવાભાઈ લાવડીયા અને વિશાલ લાલાભાઈ લાવડીયા ત્રણે જણાએ મળીને કીશોરભાઈ સોલંકી, તેમની પત્ની અને પિતાજી પર લાકડી તથા પથ્થર વડે હુમલો કર્યો હતો.હુમલો એટલો અચાનક અને ગંભીર હતો કે પરિવારના ત્રણે સભ્યોને ઈજાઓ થઈ. પડોશીઓની દોડાદોડી વચ્ચે હુમલાખોરો ત્યાંથી ખસી ગયા હતા.

બાબરા સરકારી હોસ્પિટલમાં સારવાર

  ઇજાગ્રસ્ત કીશોરભાઈ, તેમની પત્ની અને પિતાજીને તરત જ બાબરા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલના સ્ટાફે પ્રાથમિક સારવાર આપીને તેમને ટ્રીટમેન્ટ હેઠળ રાખ્યા હતા. પરિવારના સભ્યોના શરીરના વિવિધ ભાગોમાં લાકડીના ચોટનાં નિશાન જોવા મળ્યા હતા.

સારવાર બાદ ફરિયાદ નોંધાઈ

 સારવાર બાદ કીશોરભાઈએ તાત્કાલિક બાબરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે હુમલો, મારપીટ અને જાનથી મારવાની ધમકી જેવા ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પ્રાથમિક દસ્તાવેજી કામગીરી હાથ ધરી છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

 ગામમાં ચકચાર — તંગદિલીનો માહોલ

  સામાન્યતઃ શાંતિપ્રિય ગણાતા લાલકા ગામમાં આ હિંસક બનાવ બાદ લોકોમાં ચકચાર મચી છે. ગામના વડીલો અને નાગરિકો વચ્ચે ચર્ચાઓનો માહોલ સર્જાયો છે કે સામાન્ય ઘર ચણતર જેવી બાબતે એટલી મોટી અથડામણ કેવી રીતે સર્જાઈ?ગામના સરપંચ તથા સમાજના અગ્રણીઓ પણ બંને પરિવારોને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છે.

તપાસ આગળ વધી રહી

બાબરા પોલીસે જણાવ્યું છે કે ફરીયાદના આધારે તમામ મુદ્દાઓની છાનબીન થઈ રહી છે.વિભાગના અધિકારીઓનો દાવો છે કે પુરાવા, સાક્ષીઓ અને મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.મોટાભાગે સામાન્ય ઘર ચણતર મુદ્દે થયેલો વિવાદ આખરે હિંસક સ્વરૂપ ધારણ કરવાથી ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે અને કાનૂની કાર્યવાહી બાદ જ મામલો શાંત થવાની આશા છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!