ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી 1.35 લાખ હેક્ટરમાં નુકસાન — ખેડૂતોને ઊભા કરવા પાક સહાયના ફોર્મ ભરવાની પ્રક્રિયા જોરશે

SHARE:

રિપોર્ટર: મેહુલ પટેલ, અંકલેશ્વર (ભરૂચ)

કમોસમી વરસાદના ત્રાટકતા કહેર બાદ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્ય સરકારે ખેડૂત હિતમાં આશરે ₹10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ હવે પાક સહાય માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહી છે.

KRP પોર્ટલ પર 14 નવેમ્બરથી શરૂ થયેલી અરજી પ્રક્રિયા શરૂઆતના બે દિવસ સર્વર સમસ્યાને કારણે અટકી ગઈ હતી, પરંતુ હવે સિસ્ટમ સુચારુ રીતે કામ કરી રહી છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનું ડેટા સબમિટ કરી રહ્યા છે.

જિલ્લામાં 2 લાખ હેક્ટર વાવેતર, જેમાંથી 1.35 લાખ હેક્ટર પાકને નુકસાન

ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કમોસમી વરસાદના પગલે તેમાંના 1.35 લાખ હેક્ટર જેટલા ઊભા પાકને ભારે નુકસાન થયું છે.

આ નુકસાનમાં ખાસ કરીને ડાંગર, કપાસ અને કેળા જેવા મુખ્ય પાકો પ્રભાવિત થયા છે.

સૌથી વધુ અસરગ્રસ્ત તાલુકાઓમાં —

હાંસોટ

અંકલેશ્વર

ઝઘડિયા

નો સમાવેશ થાય છે.

VCE મારફતે વહીવટી કામગીરી—અરજીઓમાં ખેડૂતોની મોટી સંખ્યા

જિલ્લામાં અંદાજે 1 લાખ જેટલા ખેડૂતો VCE કર્મચારીઓની મદદથી પાક સહાય માટે ઓનલાઈન અરજીઓ કરી રહ્યા છે.ગ્રામ પંચાયત ઓફિસોમાં ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.અરજી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને નીચે મુજબના દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડે છે:

7/12ની નકલ

આધાર કાર્ડ

તલાટીનો વાવેતર દાખલો

બેંક પાસબુક

મોબાઈલ નંબર

આ સમગ્ર પ્રક્રિયા આગામી 15 દિવસ સુધી ચાલુ રહેશે. ઓનલાઈન અરજીની સત્તાવાર ચકાસણી થયા બાદ સહાયની રકમ સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

ખેડૂતોની માંગ — “વળતર વહેલું મળે તો શિયાળુ પાકની રોપણી સરળ બને”

આર્થિક ઝાટકો ખાધેલા ખેડૂતોનું કહેવું છે કે સરકારની રાહત મહત્વપૂર્ણ છે, પરંતુ વળતર વહેલું પ્રાપ્ત થાય તો શિયાળુ પાકની વાવણી અને તૈયારીમાં મદદરૂપ થશે.

હાલ જિલ્લામાં ખેડૂતોમાં આશા અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!