ધોળકામાં ગટર કાંડ! શ્રીરામ માર્કેટ–નારાયણ રેસિડન્સી રોડ પર ગંદા પાણીનો કાળો કેર — તંત્ર બેદરકાર, રહિશો ત્રાહિમામ!

SHARE:

રિપોર્ટર: શંભુ લીમ્બાચીયા

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં મઘિયા ચોકડીથી જૂના બસ સ્ટેન્ડ તરફ જતો મુખ્ય માર્ગ શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક ગણાય છે. આ જ રોડ પર શ્રીરામ માર્કેટ સામે આવેલ નારાયણ રેસિડન્સી વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ગંદા ગટરના ઊભરાતા પાણીની સમસ્યામાં ફસાયો છે. મુખ્ય માર્ગ ગંદકીથી ભરાઈ જતાં રહિશો, વાહન ચાલકો અને વેપારીઓને ગંદા પાણીમાંથી જ રોજ પસાર થવું પડે છે.

રહિશોના આક્ષેપ મુજબ — ધોળકા નગરપાલિકા વારંવારના વિરોધ, અરજી, વીડિયો પુરાવા છતાં સમસ્યાની સામે આંખ મીંચી બેસી છે.

ગટરના ઊભરાતા પાણીથી લોકોનો ત્રાહિમામ

વોર્ડ નં. 8ના લોકો જણાવે છે કે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ગટરો રોજ ઊભરાય છે.માર્ગ પર સતત વહેતા ગંદા પાણીથી ભયંકર દુર્ગંધ,મચ્છરનો ઉપદ્રવ,ચાલવામાં મુશ્કેલી,બાળકો–મહિલાઓને અકળતા,રોગચાળાનો ઊંચો ખતરો એવી પરિસ્થિતિ સર્જાઈ ચુકી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે,

અમે રોજ ગંદા પાણીમાંથી પસાર થાય છીએ, પરંતુ તંત્રને આપણું દુઃખ દેખાતું નથી.

તંત્રની ‘દેખાવ પૂરતી’ કામગીરીથી લોકો નારાજ

રહેવાસીઓ કહે છે કે ધોળકા નગરપાલિકાએ ભૂતકાળમાં કાર્ય કર્યું હતું, પણ તે માત્ર થોડીવાર માટે જ અસરકારક રહ્યું. થોડા જ દિવસોમાં ગટર ફરી ઊભરાઈ જાય છે.એથી સ્પષ્ટ થાય છે કે કામ તાત્કાલિક થાય છે, કાયમી ઉકેલ કંઈ જ નથી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની લાપરવાહીથી જ પરિસ્થિતિ આટલી ખરાબ થઈ છે.

ગંદા પાણીના કારણે ડેન્ગ્યુ, મલેરીયા જેવા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યાપી છે.

નાગરિકોની તાત્કાલિક માંગણીઓ

રહિશોમાં આ મુદ્દે ભારે રોષ છે. લોકો સ્પષ્ટપણે માંગ કરી રહ્યા છે કે—

ગટર લાઇનનું કાયમી ઉકેલ સાથે પુનઃનિર્માણ થાય

પાઈપલાઇન તપાસીને ટેક્નિકલ ખામીઓ દૂર કરવામાં આવે

વિસ્તારને હેલ્થ–રિસ્ક ઝોન જાહેર કરીને ફોગિંગ–સ્પ્રે થાય

નગરપાલિકા જવાબદારી સ્વીકારીને તાત્કાલિક કામગીરી કરે

નિષ્કર્ષ

ધોળકા શહેરના વોર્ડ નં. 8માં ઉભરાતી ગટરોનું દૂષિત પાણી હવે માત્ર નાનકડી સમસ્યા નથી —

આ એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ છે.

નગરપાલિકાની ઉદાસીનતાએ રહિશોને નર્ક સમાન પરિસ્થિતિમાં ધકેલી દીધા છે.

સ્થાનિક લોકોની એક જ માંગ —

“અમને ગંદકીમાંથી છૂટકારો જોઈએ… અને એ પણ કાયમી.”

Leave a Comment

और देखें
error: Content is protected !!