DGVCL સામે 1800 વિદ્યાર્થીઓનો આક્રોશ! ભરતી પરીક્ષા પાસ છતાં 10 મહિના થી નોકરી અટકાતાં સુરતમાં ઉગ્ર રજુઆત

SHARE:

રિપોર્ટર: તુષાર કમાણી,સુરત

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા ભરતી પરીક્ષા પાસ કર્યા બાદ પણ 10 મહિના સુધી નોકરી ન મળતા આજે સુરત ખાતે વિશાળ આક્રોશ સભા યોજાઈ હતી. આ રજુઆત ડેડીયાપાડાના જાંબાઝ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને DGVCL ની મુખ્ય ઓફિસ સામે યોજાઈ.

1800થી વધુ વિદ્યાર્થીઓ પાસ — માત્ર 65ને ભરતી! બાકીના યુવાનોમાં પ્રચંડ નારાજગી

માહિતી મુજબ, કુલ 1800થી વધુ વિદ્યાર્થીઓએ ભરતી માટેની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે, પરંતુ તંત્ર દ્વારા ફક્ત 65 જેટલા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે.બાકીના 1800થી વધુ વિદ્યાર્થીઓ 10 મહિના થી રોજ રાહ જોઈ રહ્યા છે, પરંતુ નોકરી ઉપલબ્ધ નથી કરાવવામાં આવી.

યુવાનોના આક્ષેપ છે કે—

“જ્યારે તમામ તબક્કાં પાસ કર્યા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થયું અને મેરિટમાં નામ છે, ત્યારે અમારી ભરતી અટકાવવાનો કોઈ કાયદેસર આધાર નથી.”

DGVCL અધિકારીઓને કેમ્પસ બહાર બોલાવી ઉગ્ર રજુઆત

આક્રોશ સભાની ગરમી અને યુવાનોના પ્રેશરને ધ્યાનમાં રાખીને DGVCLના ઉચ્ચ અધિકારીઓને કેમ્પસ બહાર આવીને રજુઆત સ્વીકારવી પડી હતી.વિદ્યાર્થીઓએ DGVCL પર ભરતી પ્રક્રિયામાં અન્યાય, વિલંબ અને અસમાનતાના ગંભીર આક્ષેપો કર્યા.

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે—

10 મહિના થી સતત મુલાકાતો છતાં સ્પષ્ટ જવાબ નથી મળતો

ભરતી અટકાવવાનો કારણ તંત્ર જાહેર કરતું નથી

મેરિટ પાસ ઉમેદવારોનો કરિયર અટકી ગયો છે

AAPના કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા

આક્રોશ સભા દરમિયાન આમ આદમી પાર્ટી સુરત શહેરના કોર્પોરેટર, કાર્યકર્તાઓ, તેમજ ભરતીમાં અન્યાયનો સામનો કરનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.સ્થળ પર ઉગ્ર સૂત્રોચ્ચારો, ન્યાયની માંગ અને તંત્ર વિરુદ્ધ પ્રચંડ વિરોધ જોવામાં આવ્યો.

AAP નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું:

“પાસ થયેલા તમામ ઉમેદવારોને તરત નોકરી આપવી જોઈએ. ભરતીમાં વિલંબ કરવું એ યુવાનોના ભવિષ્ય સાથે રમવું છે.”

ચૈતરભાઈ વસાવાનું નેતૃત્વ — યુવાનોની લડતમાં મજબૂત અવાજ

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સમગ્ર રજુઆત શાંતિપૂર્ણ છતાં તીવ્ર સ્વરે યોજાઈ.

વિદ્યાર્થીઓએ ધારાસભ્યને પોતાની પીડા જણાવી અને DGVCL સામે જવાબદારી નક્કી કરવાની માગણી કરી.

ચૈતરભાઈ વસાવાએ સ્પષ્ટ કહ્યું—

“મેરિટ પાસ વિદ્યાર્થીઓને નોકરી મળવી જ જોઈએ. યુવાનો સાથે અન્યાય સહન નહીં કરીએ.”

પરિસ્થિતિ હવે ક્યાં જશે?

આજની આક્રોશ સભા બાદ DGVCL પર દબાણ વધ્યું છે.

તંત્ર દ્વારા ભરતી અંગેનો નિર્ણય આગામી દિવસોમાં ઝડપ લેવાની શક્યતા છે, પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે—

“અમને નોકરી મળ્યા વગર અમારી લડત અટકશે નહીં.”

Leave a Comment

और देखें
error: Content is protected !!