અહેવાલ: મયૂર મહેતા
આંકોલવાડી કન્યાશાળાની બાલિકાઓ ઉર્વશી મકવાણા, ટ્વિંકલ મકવાણા, કાંતા બાંભણીયા અને શાળાના શિક્ષક શ્રી નિશાંતભાઈ મહેતાને જીલ્લાકક્ષાએ આયોજિત ગીતાંશ કંઠપાઠ કાર્યક્રમમાં તેમની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12મા, 15મા અધ્યાય તેમજ સમગ્ર ગીતા કંઠસ્થની યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. આંકોલવાડી કન્યાશાળાની બાલિકાઓ અને શિક્ષક શ્રી નિશાંતભાઈ મહેતાને તેમના ઉત્કૃષ્ટ પઠન, મહેનત અને સતત અભ્યાસને આધારે આ મહત્વપૂર્ણ સન્માન મળ્યું.
શાળા આચાર્ય ભરતભાઈ ભોળા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો, જેના પરિણામે વિદ્યાર્થીઓને યોગ્ય ટેકનિક અને પ્રેરણા મળી અને આ સિદ્ધિ પ્રાપ્ત થઇ. શિક્ષણવિભાગ અને ગ્રામજનો દ્વારા પણ આ સિદ્ધિને વખાણવામાં આવ્યું અને બાલિકાઓ તથા શિક્ષકને શુભકામનાઓ પાઠવવામાં આવી.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શાસ્ત્રોના જ્ઞાન અને અધ્યાત્મિકતા પ્રત્યે ઉત્સાહ વધારવાનો ઉદ્દેશ ધરાવતા તેમજ શિક્ષકોના માર્ગદર્શનની મહત્તા સામે દ્રષ્ટાંત સ્થાપિત થયો છે.







