રૂપાવટી કોઝવે પર જીવના જોખમે મુસાફરી — તંત્રની નિષ્ક્રિયતા પર લોકોનો આક્રોશ

SHARE:

રિપોર્ટર: અલ્તાફ દલ, ગારિયાધાર

ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામ પાસે આવેલ બેઠલા કોઝવેની હાલત છેલ્લા ઘણા સમયથી દયનીય બની રહી છે. સતત વાહનવ્યવહાર ધરાવતા આ માર્ગ પર આજકાલ પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, “આ કોઝવે તો ક્યારેક અકસ્માત નોતરે તો નવાઈ નહીં. તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.”

વરસાદ બાદ રસ્તો–તળાવ એક સમાન — વાહનચાલકોમાં ભયનો માહોલ

ગયા દિવસોમાં પડેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી ભરાઈ ગયું છે.રૂપાવટી ગામ પાસે આવેલા આ કોઝવે પર હાલ પરિસ્થિતિ એવી છે કે રસ્તો અને બાજુમાં આવેલ તળાવ — બંને એક સરખા દેખાય છે.

કોઝવે પર ગોઠણ જેટલું પાણી

ચારેબાજુ ઊંડા ખાડા

વાહનોનું સંતુલન બગડે તેવો જોખમ

2-વ્હીલર્સ માટે ખાસ જોખમકારક

પરિણામે, આ માર્ગ પરથી પસાર થનાર દરેક વાહનચાલકો મનમાં ભય લઈને પસાર થાય છે.

તંત્રની અવગણના? — “કોઈ મોટી દુર્ઘટના પછી જ પગલાં?”

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તેમનો પ્રશ્ન —

“કોઝવેની હાલત તંત્રના ધ્યાનમાં નથી આવતી? કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ કાર્યવાહી થશે?”

લોકોને લાગે છે કે આ માર્ગનું મહત્વ અને તેમાં રહેલું જોખમ હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ —

“સમયસર રિપેરિંગ ન થવાને કારણે કોઝવે ખતરનાક થઈ ગયો છે.”

રૂપાવટી–ગારિયાધાર માર્ગ મહત્વનો માર્ગ છે, જ્યાં:રોજ કામસર સૈંકડો લોકોની અવરજવર,કૃષિ વાહનોનો મોટો પ્રવાહ,સ્કૂલ–કૉલેજ જતા વિદ્યાર્થીઓ,તાત્કાલિક સેવાઓના વાહનો આવી સતત અવરજવરમાં આવા કોઝવે પર પાણી ભરાયેલું હોવું મોટો જોખમ જ છે.

લોકો કરી રહ્યા છે તાત્કાલિક સમારકામની માંગ

સ્થાનિકોની માગણીઓ:

તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા

કોઝવેની સંપૂર્ણ રિપેરિંગ

ચેતવણી બોર્ડ અને સ્પીડ કંટ્રોલ

રાત્રી સમયે લાઈટિંગની સુવિધા

લાંબા ગાળાનો સ્થાયી ઉકેલ

લોકોની સ્પષ્ટ માંગ છે કે “અકસ્માત પહેલા પગલાં લેવાય, પછી નહીં.”

Leave a Comment

और देखें
error: Content is protected !!