અહેવાલ: દીપકભાઈ રાવરાણી, ધોરાજી (જી. રાજકોટ)
ધોરાજી શહેરના વોર્ડ નંબર 8 ખાતે એસ.એલ. માડવીયા ફાઉન્ડેશન દ્વારા “જન સેવા રથ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનકલાકાર્યનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સરળતાથી પ્રાપ્ત થાય અને વિવિધ જરૂરી કાર્ડ તથા સુધારાની કામગીરી સ્થળ પર જ પૂર્ણ થઈ જાય તે હતો.આદર્શ એજ્યુકેશન સ્કૂલ ખાતે યોજાયેલા આ સેવા શિબિરમાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ખાસ કરીને વૃદ્ધ લોકો, મહિલાઓ અને બિહારી મજૂરો માટે આ સેવા અત્યંત ફાયદાકારક સાબિત થઈ.
આ શિબિરમાં પૂરી પાડવામાં આવેલ મુખ્ય સેવાઓ
રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવું/કાઢવું
સુધારાની પ્રક્રિયા
આયુષ્માન કાર્ડ માટે માર્ગદર્શન
વૃદ્ધ સહાય, નિરાધાર સહાય, દિવ્યાંગ સહાય જેવી યોજનાઓ અંગે માર્ગદર્શન
વિવિધ રાજ્ય-કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી
સ્થળ પર જ ફોર્મ ભરવાની અને ચકાસણીની પ્રક્રિયા
સ્થળે જ તમામ કામગીરી સરળતાથી પૂરી પાડી નાગરિકોને સમય અને દોડધામથી મુક્તિ મળી.
બાઈટ — વિનુભાઈ માથુકિયા, શહેર પ્રમુખ (ભાજપ), ધોરાજી
“એસ.એલ. માડવીયા ફાઉન્ડેશન સતત લોકોની સેવા માટે કાર્યરત છે. જન સેવા રથનો મુદ્દો એટલો જ છે કે દરેક નાગરિક સુધી સરકારની યોજનાઓ સરળીકૃત રીતે પહોંચે. વોર્ડ નં. 8માં આજે જે સેવા શિબિર યોજાઈ છે, તેમાં લોકોને કાર્ડ અને સુધારા જેવી અગત્યની કામગીરી એક જ સ્થળે મળી ગઈ છે. અમારી ટીમ અને કાર્યકરોનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે — ‘સેવા અને સુવિધા જનતાના દ્વારે’. આવનારા દિવસોમાં આવા વધુ કાર્યક્રમો શહેરના અન્ય વિસ્તારોમાં પણ કરવામાં આવશે.”






