ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે અદાણી કંપની સામે ખેડૂતોની લડત ઉગ્ર; ચાર દિવસમાં 340થી વધુ ખેડૂતોની અટકાયત

SHARE:

રિપોર્ટર: મહેશ ખેર, કચ્છ

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામમાં અદાણી કંપની દ્વારા ખેતરોમાં વીજ ટાવરના ફાઉન્ડેશનના કામને લઈને ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ હવે તીવ્ર સ્વરૂપ ધારણ કરી ગયો છે. વળતર અંગે લાંબા સમયથી ચાલતી અસંતોષની લાગણી હવે મોટો આંદોલન રૂપ ધારણ કરી ચૂકી છે.

 

પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી — 340થી વધુ ખેડૂતોની અટકાયત

છેલ્લા ચાર દિવસથી અદાણી કંપની દ્વારા કામ ચાલી રહેલા સમગ્ર વિસ્તારમાં જોરદાર પોલીસ બંદોબસ્ત તૈનાત છે વિરોધ કરી રહેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર:કંપની પોલીસના સહારે બળજબરીથી કામ આગળ ધપાવી રહી છે,ચાર દિવસમાં કુલ 340થી વધુ ખેડૂતોની અટકાયત તેમાં માત્ર આજે જ 40 જેટલા ખેડૂતોને પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા

સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તાર હવે પોલીસ છાવણીમાં પરિવર્તિત થઇ ગયો છે.

ખેતરમાં જવા પણ રોક — રસ્તાઓ સુધી બંધ

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે:જે ખેતરમાં ટાવરનું કામ ચાલી રહ્યું છે તેની આજુબાજુના ખેડૂતોને ખેતરમાં જવા પણ દેવાતું નથી

મુખ્ય રસ્તો પોલીસ દ્વારા સંપૂર્ણ બંધ

રસ્તે પસાર થનારા લોકોને પણ સીધા બસમાં ચઢાવી અટકાયત કરવામાં આવે છે,ખેડૂતોનો આક્ષેપ છે કે આ રીતો લોકશાહી સિદ્ધાંતોના વિરૂદ્ધ અને ગેરકાયદેસર છે.

વિવાદના કારણમાં વળતર મુદ્દો મુખ્ય

આ સમગ્ર વિવાદનો મૂળ મુદ્દો છે યોગ્ય વળતર:ખેડૂતોનું કહેવું છે કે ટાવર માટે લીધેલી જમીનની કિંમત પ્રમાણે વળતર અપાય તે જરૂરી છે.છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.વળતર અંગે સ્પષ્ટતા ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ

ખેડૂતો અને સ્થાનિકોનો એકજ અવાજ — “સરકાર દખલ કરે”

સ્થાનિકોના વેદનાપૂર્ણ નિવેદનો:“ખેતરોમાં જવા દેતા નથી, ખેતીનું નુકસાન કોણ ભરે?”“વાજબી વળતર માંગવું ગુનો છે શું?”“પોલીસની હાજરીએ ગામને છાવણી બનાવી નાખ્યું છે.”

ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે:

વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે,કંપનીને યોગ્ય વળતર નક્કી કરવા દબાણ કરવામાં આવે,વિસ્તાર સામાન્ય સ્થિતિમાં પરત આવે

Leave a Comment

और देखें
error: Content is protected !!