ગઢા વકતાપુરમાં કરંટનો કહેર: 70 હજારની ભેસ ઢળી પડી, ખેડૂતને પણ લાગ્યો ઝટકો — યુજીવીસીએલ સામે ગામજનોનો આક્રોશ

SHARE:

રીપોર્ટર: અર્જુનસિંહ ઝાલા. હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગઢા વકતાપુર ગામે આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. ગામની તરાવ પાસે વાસુભાઈની આશરે ₹70,000 કિંમતની ભેસ ચરવા ગઈ હતી ત્યારે અચાનક યુજીવીસીએલની ડીપી પાસે જતા જ કરંટ લાગ્યાનું અનુમાન છે. કરંટના જોરદાર ઝટકાથી ભેસ ઘટના સ્થળે જ ઢળી પડી ગઈ હતી.

સ્થળ પર રહેલા ભલાભાઈ એ પરિસ્થિતિ નિહાળી જ્યારે તપાસ કરતા તેમને પણ કરંટનો ઝટકો લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સમયસર સાવચેતી રાખતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

ભેસના મોતને કારણે ખેડૂત પરિવારને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. ભેસ મૃત્યુ પામતા  ઘરના છોકરાઓને પણ દૂધ મળવાનું બંધ થતા રોજિંદી જરૂરિયાતોમાં મુશ્કેલી ઊભી થઈ છે.

ગામલોકો અને સરપંચનો આક્ષેપ: “યુજીવીસીએલ અંગે ગઢા ગામમાં ફરીયાદો વર્ષોથી બાકી”

ગઢા વકતાપુરના ગામલોકો તથા સરપંચે જણાવ્યા મુજબ ગામમાં વીજળી સંબંધિત યુજીવીસીએલની બેદરકારી અંગે અનેક વખત ફરીયાદો નોંધાવી છે, પરંતુ કાર્યવાહી ન થતા અકસ્માતોનો ખતરો સતત વધતો જાય છે. ગામના મુખ્ય રસ્તા અને ખેતરો પાસે આવેલી વિજલાઈનો તથા ડીપી વર્ષોથી ખરાબ હાલતમાં હોવાનું લોકોનું કહેવું છે.

ગામજનો માંગણી કરી રહ્યા છે કે—

ડીપી અને વીજલાઈનાની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે

ખતરનાક વાયરિંગ ને બદલી નવી વ્યવસ્થા કરવામાં આવે

આવી દુર્ઘટના ફરી ન બને તેની ખાતરી કરે

સ્થળ પરથી

Leave a Comment

और देखें
error: Content is protected !!