ભરૂચ: ઝઘડિયા તાલુકાના સેલોદ ગામના પુલ પર ફરી ગાબડું — તાજેતરમાં કરાયેલા રીપેરીંગની ગુણવત્તા પર પ્રશ્નો

SHARE:

રિપોર્ટર: મેહુલ પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામ નજીક આવેલા મુખ્ય પુલ પર ફરી એકવાર ગાબડું પડતાં સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ પુલ થોડા સમય પહેલાં જ રીપેરીંગ કરવામાં આવ્યો હતો છતાં ફરી ખાબકતાં તંત્રની કામગીરી અને રીપેરીંગની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે.

આ પુલ ઝઘડિયા તાલુકાને GIDC અને વાલિયા સાથે સીધી રીતે જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરથી રોજિંદા મોટી સંખ્યામાં વાહનચાલકો, સ્થાનિક લોકો તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાં જવા આવનારા કર્મચારીઓનો અવરજવર રહે છે. પુલ પર પડેલા ગાબડાંને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે અને વાહનચાલકો ધીમે ધીમે અને જોખમ સાથે પસાર થવા મજબૂર બન્યા છે.

સ્થાનિક લોકોનું જણાવવું છે કે—

“અમારા વિસ્તારમાં આ પુલ મહત્વનો માર્ગ છે. થોડા મહિના પહેલાં જ રીપેરીંગ થયું હતું, તેમ છતાં ફરી ગાબડું પડી ગયું છે એ તંત્રની બેદરકારી સ્પષ્ટ કરે છે.”

કેટલાક લોકોને એવું પણ કહેવું છે કે પુલના રીપેરીંગમાં નીચી ગુણવત્તાનો મટિરિયલ વપરાયો હોઈ શકે છે, જેને કારણે થોડા સમયમાં જ રોડ ફરી ઊખડી ગયો.

તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી, જોકે લોકો તાત્કાલિક મરામતની માંગ કરી રહ્યાં છે જેથી અકસ્માતો અટકાવી શકાય. આ માર્ગ રોજબરોજની આવન-જાવન માટે એટલો મહત્વનો છે કે થોડુંપણ ટ્રાફિક ડિસ્ટર્બન્સ થતા લાંબી લાઈન અને મુશ્કેલી સર્જાઈ જાય છે.

સ્થાનિક લોકોએ જિલ્લા તંત્ર અને R&B વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરીને પુલનું રીપેરીંગ ફરીથી સારા ગુણવત્તાના ધોરણે કરવાની માંગણી કરી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!