અમદાવાદને મળ્યા નવા પોલીસ કમિશનર: અનુપમસિંહ ગેહલોતની નિમણૂક, હવે સુરત CP કોણ?

SHARE:

રથયાત્રા પહેલા અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા
રાજ્ય સરકારે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે 1997 બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. જી.એસ. મલિક DGP બન્યા બાદ છેલ્લા 25 દિવસથી ખાલી પડેલી આ મહત્વપૂર્ણ જગ્યા હવે ભરાઈ ગઈ છે.
સુરતથી અમદાવાદ સુધીનો અનુભવ
અનુપમસિંહ ગેહલોત અગાઉ ભાવનગર અને પાટણના એસપી, વડોદરા રેન્જ IG, રાજકોટ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં પણ મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
અમદાવાદ CP માટે ત્રણ નામ ચર્ચામાં હતા
જી.એસ. મલિકને DGP બનાવાયા બાદ અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં અનુપમસિંહ ગેહલોત, CBIના મનોજ શશીધરન અને ACB ડાયરેક્ટર પિયુષ પટેલના નામ ચર્ચામાં હતા. અંતે રાજ્ય સરકારે અનુપમસિંહ ગેહલોતના નામ પર મહોર મારી છે.
નવા CP સામે મોટા પડકારો
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત સામે શહેરમાં દારૂ અને ડ્રગ્સના નેટવર્ક પર નિયંત્રણ, વધતા સાયબર ક્રાઈમ સામે કાર્યવાહી, ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન અને ભગવાન જગન્નાથ રથયાત્રા સહિતના સંવેદનશીલ તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની મોટી જવાબદારી રહેશે.
હવે સુરતના નવા પોલીસ કમિશનર કોણ?
ગેહલોતની અમદાવાદમાં બદલી બાદ સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી થયું છે. હાલ રાજકુમાર પાંડિયન, મનોજ શશીધરન, પિયુષ પટેલ અને નરસિમ્હા કોમારના નામ સુરત CPની રેસમાં સૌથી મોખરે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Leave a Comment

और देखें
error: Content is protected !!