E20 પેટ્રોલ પર 5 મોટા સવાલ: માઇલેજ ઘટે છે? એન્જિન બગડે છે? જાણો સંપૂર્ણ હકીકત

SHARE:

E20 પેટ્રોલને લઈને કેમ વધી રહ્યો છે વિવાદ?
દેશભરમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલ અમલમાં આવ્યા બાદ વાહનચાલકોમાં માઇલેજ ઘટવા, એન્જિનમાં ખામી અને જૂના વાહનો પર તેની અસરને લઈને ચર્ચા તેજ બની છે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો ઓછી એવરેજ અને એન્જિન સમસ્યાની ફરિયાદો કરી રહ્યા છે.
મોટાભાગની ગાડીઓ E10 માટે જ ડિઝાઇન થઈ હતી
ઘણી ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાના યુઝર મેન્યુઅલમાં વધુમાં વધુ E10 ફ્યુઅલ ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. હવે E20 ફરજિયાત બનતા જૂના વાહનોના એન્જિન અને માઇલેજ અંગે સવાલો ઊભા થયા છે. જોકે નવી ફ્લેક્સ ફ્યુઅલ કારો E20 સહિત વધુ ઇથેનોલ મિશ્રણ પર પણ ચાલી શકે છે.
ઇથેનોલ સસ્તું છતાં પેટ્રોલ કેમ મોંઘું?
ઇથેનોલની ઉત્પાદન કિંમત પેટ્રોલ કરતાં ઓછી હોવા છતાં ગ્રાહકોને પેટ્રોલના ભાવમાં ખાસ કોઈ રાહત મળી નથી. નિષ્ણાતોના મતે જો ઇથેનોલની કિંમત બજાર આધારિત બને અને સરકારની નીતિમાં ફેરફાર થાય તો ઇંધણના ભાવમાં ઘટાડાની શક્યતા વધી શકે છે.
પાણી અને ખેતી પર વધી શકે છે દબાણ
એક લિટર ઇથેનોલ બનાવવા માટે હજારો લિટર પાણીની જરૂર પડે છે. શેરડી, મકાઈ અને ચોખાનો ઉપયોગ વધવાથી પાણી પર દબાણ વધવાની સાથે કઠોળ અને તેલીબિયાં જેવા અન્ય પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીતિને લઈને રાજકીય ચર્ચા પણ તેજ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી લાંબા સમયથી ઇથેનોલ બ્લેન્ડિંગના સમર્થક રહ્યા છે. કોંગ્રેસ સહિતના કેટલાક પક્ષોએ તેમના પરિવાર સાથે જોડાયેલી ઇથેનોલ ઉત્પાદક કંપનીઓને લઈને હિતોના ટકરાવના આરોપ લગાવ્યા છે. જોકે ગડકરીએ આ આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તેમના પરિવારની કંપનીઓનો દેશના કુલ ઇથેનોલ સપ્લાયમાં ખૂબ જ નાનો હિસ્સો છે.
નિષ્ણાતો શું સૂચવે છે?
નિષ્ણાતોના મતે ફ્લેક્સ ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવું, ગ્રાહકોને E20 ફરજિયાત કરવાની જગ્યાએ વિકલ્પ આપવો, સંશોધનના અહેવાલ જાહેર કરવા, ઇંધણના ભાવમાં રાહત આપવી અને કૃષિ કચરામાંથી બનતા સેકન્ડ જનરેશન ઇથેનોલ પર વધુ ભાર મૂકવો જરૂરી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!