
અષાઢી બીજના પવિત્ર દિવસે કડી શહેરમાં ભગવાન જગન્નાથ ની 54 મી ભવ્ય રથયાત્રા નીકળતા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.શહેરના દેત્રોજ રોડ ઉપર ના રામજી મંદિર ખાતે થી પરંપરાગત રીતે ભવ્ય જગન્નાથ ભગવાન ની રથ યાત્રાનો પ્રારંભ થયો હતો.
રામજી મંદિર થી પ્રયાણ થયેલી રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારો માં ઘૂમી હતી.શહેરમાં ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નિકળતા મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ને અટકાવવા માટે કડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો






