વિસનગર શહેરમાં જાહેર માર્ગ ઉપર બે આખલાઓનો આતંક સામે આવ્યો હતો.જાહેર રોડ ઉપર બે આખલાઓ સામસામે આવી જતા રાહદારીઓને જીવ તાળવે ચોંટયા હતા.વિસનગર શહેરના લોકો ઘણા સમય થી શહેરમાં રખડતા ઢોરો નો ત્રાસ દૂર કરવા માંગણી કરી રહ્યા છે પરંતુ વિસનગર પાલિકાનું નઘરોળ તંત્ર મીઠી ની નિંદ્રામાં પોઢી રહ્યું છે.કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે જ પાલિકા તંત્ર જાગશે કે શું ?? તે મોટો સવાલ છે.






