મહેસાણા દૂધ સાગર ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે.મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થતા દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે.
મહેસાણા દૂધ સાગર ડેરીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે.મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થતા દૂધસાગર ડેરી ના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલ ને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરતા માહોલ ગરમાયો છે.
સમગ્ર એશિયામાં જેની ગણના થાય છે તેવી દૂધસાગર ડેરી નું રાજકારણ અત્યારે ગરમાયું છે.મહેસાણા દૂધસાગર ડેરી ખાતે શુક્રવાર ના રોજ બોર્ડ મિટિંગ યોજાઈ હતી જેમાં ડેરી ના કેટલાક પ્રશ્નોને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો જેમાં દૂધસાગરડેરી ના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા ચેરમેન અશોક ચૌધરી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા.વધુમાં તેમણેજણાવ્યું હતું કે અશોક ચૌધરીએ બોલાચાલી દરમ્યાન તેમને લાફો મારી દીધો હતો જેથી તેમના ચશ્મા અને સોનાની ચેન પણ તૂટી ગઈ હતી જેથી તેઓ ડેરી ના અન્ય ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને એલ કે પટેલ સાથે મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડેરી ની કેટલીક બાબતો અંગે તેમણે પ્રશ્ન પૂછતા ચેરમેન અશોક ચૌધરી ગુસ્સે થઈ ગયા હતા અને તેમને લાફો ઝીંકી દીધો હતો.
સમગ્ર લાફકાંડ મુદ્દે અત્યારે તો રાજકારણ ગરમાયું છે.દૂધસાગર ડેરી ના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાઈ ને આવ્યા હોવા છતાં ડેરી નો આંતરિક વિખવાદ સામે આવ્યો છે
.






