અષાઢી બીજે કચ્છ કાર્નિવલ ઉત્સવ નું આયોજન કરાયું

SHARE:

દર વર્ષ ની માફક અષાઢી બીજે કચ્છમાં નવા વર્ષની શરૂઆત થાય છે. અષાઢી બીજ થી કચ્છમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષ નિમિત્તે કચ્છ કાર્નિવલ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ કાર્યક્રમ ભુજ શહેરના હમીરસર તળાવ પર યોજવામાં આવે છે. આજે પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની પરંપરા દર્શાવવામાં આવી હતી.

જેમાં 62 કૃતિઓમાં બે હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

હજારોની મેચની અહીં ઉમટી હતી. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું મોમેન્ટો અને સાલ વડે અને પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

કચ્છના ધારાસભ્યો તેમજ નગરપાલિકાના પ્રમુખો આ પ્રસંગે હાજર રહ્યા હતા

.

Leave a Comment

और देखें
error: Content is protected !!