બહુચરાજી

એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ઘણા એવા ગામો છે કે,જ્યાં પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજબુરીવશ કાદવ વાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબુર થવું પડે છે.તંત્ર ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા અહીંયા પોકળ સાબિત થતાં જોવા મળે છે.
કીચડવાળો રસ્તો પસાર કરી અભ્યાસ માટે જવા મજબુર મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે સાપાવાડા થી કોઠારપુર ગામને જોડતો રસ્તો આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.આ રસ્તો કાદવ કીચડથી ખદબદે છે.પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે.ખેતરોમાં રહેતા લોકોને આવા ગંદકી વાળા અને કાદવ કીચડવાળા રસ્તા પર થઈને પસાર થવું પડે છે.સૌથી વધારે દયનીય પરિસ્થતિ તો વિદ્યાર્થીઓની છે.આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને અભ્યાસ માટે જવું પડે છે. ખેતરોમાં વસવાટ કરતા 50 ઘરોના પરિવારો ચોમાસામાં ઘણી તકલીફ ભોગવી રહ્યા છે તેમને દરરોજ ગામમાં આવવાનું હોય શાકભાજી લેવા,દૂધ ભરાવવા,તેમજ જીવન જરૂરિયાત ની સામગ્રી લેવા માટે દરરોજ ગામમાં જવું પડે છે.તથા જો કોઈ ગંભીર બીમારી આવે તો જીવ ખોવાનો વારો આવે છે.તો બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરોમાં ટ્રેકટર,બળદગાડા લઈને આ રસ્તેથી જવાનું હોય છે.પણ ચોમાસામાં ખેડૂતો પણ હેરાન પરેશાન છે. ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને દેશ આઝાદ થયો છતાં પરિસ્થતિ ન બદલાઈ,પ્રાથમિક જરૂરિયાત રોડ,રસ્તા છે.
સરકાર કહે છે દીકરીઓને ભણાવો પણ જ્યારે દીકરીઓ ભણવા માટે તૈયાર થાય છે પણ કાદવ કીચડવાળા રસ્તામાંથી પસાર થઈને ભણવા જવા એ પણ મજબુરી હશે. ત્યારે વાત કરવામાં આવે તો બહુચરાજી તાલુકાના સાપાવાડાના એક દયનીયને કાદવ કીચડવાળા રસ્તાની જેમાં સાપાવાડા ગામમાં લગભગ 3500 થી વસ્તી ધરાવતું ગામ છે ગામમાં અલગ અલગ જ્ઞાતિ ધરાવતા લોકો વસવાટ કરે છે ત્યાં ગામમાંથી કોઠારપુરા તરફ જતા રસ્તા ઉપર 50 થી વધુ ઘર આવેલા છે તે પરિવારમાંથી 25 થી વધુ વિદ્યાર્થીઓ અને વિધાર્થિનીઓ અભ્યાસ કરવા માટે 3 કિમી ચાલીને ગામમાં આવું પડે છે.પરંતુ ચોમાસામાં પ્રથમ વરસાદ પડતાં જ રસ્તો બંધ થઈ જાય છે.ત્યારે વિદ્યાર્થીઓ કાદવ કીચડ વાળા રસ્તે થઈને આવતા હોય છે.જ્યારે રસ્તામાં વધુ પાણી હોય તો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે પરંતુ લીલા ઘાસમાં ઝેરી જાનવર પડ્યું હોય તો બાળકોને કરડે તો જીવ ખોવાનો વારો આવે છે.આ બધી ચિંતાઓ વાલીઓ કરી રહ્યા છે.પણ મહેસાણા જિલ્લા વહીવટી તંત્રને નથી.
વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ કાદવ કીચડમાં થઈને ચપ્પલ હાથમાં લઈ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જવા મજબૂર બનવું પડ્યું છે.
સાપાવાડાના જાગૃતિ નાગરિક ભુરાજી ઝાલાએ જણાવ્યું હતું કે,આઝાદી પછી ક્યારે પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી.અહી ચોમાસામાં કે ક્યારે કોઈ અધિકારીઓ જોવા પણ નથી આવતા.વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી કોઈ પીપુડી સાંભળતું નથી.
સાપાવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નવલદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેતરોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે પણ ચોમાસામાં તેઓ ઘણી તકલીફો વેઠીને શાળાએ પહોચે છે.વરસાદમાં વિદ્યાર્થીઓ કાદવકીચડ વાળા રસ્તેથી આવે છે.જો સરકાર આ વિદ્યાર્થીઓ માટે કઈ કરે તો સારું છે.
સાપાવાડા ગામના વિદ્યાર્થીના વાલી અજીતસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, અમારા બાળકોને શાળાએ મોકલીએ છીએ પણ જીવના જોખમ સાથે મોકલીએ છે.અમારા આ નાના બાળકો ખેતરોના શેઢા ખૂંદીને આવે છે ત્યારે કોઈ ઝેરી જાનવર કરડે ત્યારે અમારા બાળકનો જીવ ખોવાનો વારો આવશે.સરકાર આ બાબતે કઈ વિચારે તો સારું.






