દોઢ વર્ષમાં મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી બાળ ગુનેગારો ભાગી જવાની ત્રીજી ઘટના
મહેસાણા શહેર ખાતે આવેલા બાળ ઓબ્ઝરવેશન હોમમાંથી હત્યાના પાંચ અને દુષ્કર્મ ના ગુનાનો એક આરોપી મળી કુલ છ આરોપી ગાર્ડ ને ધક્કો મારી ભાગી જવાની ઘટના સામે આવતા કેટલાય સવાલો પેદા થયા છે.
શહેરના રાધનપુર ચોકડી નજીક આવેલા બાળ ઓબ્ઝર્વેશન માંથી બાળ ગુનેગારો ભાગી જવાની દોઢ વર્ષમાં આજે ત્રીજી ઘટના છે. બુધવારે સવારે હોમનો દરવાજો ખુલતા છ બાળ ગુનેગારો સિક્યુરિટી ને ધક્કો મારી મગપરા ના રસ્તે ભાગી છૂટ્યા હતા.ગંભીર ગુનામાં ઝડપાયેલા બાળ ગુનેગારો ભાગી જતા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.
મહેસાણા ના બાળ ઓબ્ઝર્વેશન માંથી બાળ આરોપીઓ ભાગવાનો સિલસિલો અત્યારનો નથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વખત આરોપીઓ સિકયુરિટી ને થાપ આપી ભાગી છૂટ્યા છે તેનું એક માત્ર કારણ છે સિકયુરિટી કંપનીની અણઆવડત.મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન ખાતે 60 બાળ આરોપીઓને સુધારણા માટે રાખવામાં આવેલા છે જેની સિક્યુરિટી જવાબદારી વીર સિકયુરિટી નામની ખાનગી એજન્સી પાસે છે પરંતુ વીર સિકયુરિટી ના કારણે ગણતરીના સમયમાં ત્રણ ઘટનાઓ સામે આવતા સિકયુરિટી એજન્સી સામે પણ સવાલો પેદા થઈ રહ્યા છે.
વીર સિકયુરિટી એજન્સી નું માલિક કોણ ?? નિષ્કાળજી છતાં અત્યાર સુધી કોઈ પગલા કેમ નથી લેવાતા ??
મહેસાણા બાળ ઓબ્ઝર્વેશન માંથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વખત ગંભીર ગુનાના બાળ આરોપીઓ ભાગી છૂટવાની ઘટના સામે આવી છે.ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને અહીં સુધારણા માટે રાખવામાં આવેલા છે પરંતુ સિકયુરિટી ની નિષ્કાળજી થી સમયાંતરે આરોપીઓ ભાગી જવાની ઘટના બને છે અને સ્થાનિક પોલીસ મહામહેનતે આરોપીઓને શોધી ને લાવે છે.આટઆટલી નિષ્કાળજી છતાં અત્યારસુધી કેમ વીર સિકયુરિટી સામે કોઈ પગલા લેવાયા નથી કે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો નથી.આ વખતે સમાજ સુરક્ષા અધિકારીએ એજન્સી રદ કરવાની વાત તો કરી છે પરંતુ અત્યાર સુધી કેમ કોઈ પગલા લેવાયા નથી તે મોટો પ્રશ્ન છે.શું વીર એજન્સી માં એવા કોઈ વગદાર માલિક કે ભાગીદાર છે કે અત્યાર સુધી તેના ઉપર કોઈ એકશન લેવામાં આવી નથી.






