વિજાપુર મામલતદાર, ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટીમ ત્રાટકી – સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરી કરતા અધધ વાહનો ઝડપાયા

SHARE:

     વિજાપુર તાલુકા મા સાબરમતી નદીના પટમાં નદી ની રેતી ની ચોરીઓ ની વ્યાપક ફરિયાદો બાદ સફાળી જાગી ઉઠેલ ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર અમદાવાદ મેહસાણા અને તાલુકા મામલતદાર શૈલેષ સિંહ બારીયા તેમજ પોલીસ અધિકારી ને સાથે રાખી બુધવારે સંઘપુર તરફ ની નદી ના પટ મા રેડ કરી 19 ટરબા ત્રણ જેટલા હિટાચી મશીન અને એક નાવડી જપ્ત કરી પોલીસ મથકે લાવવા મા આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કાર્યવાહી પૂર્ણ થઈ નહિ હોવાથી કેટલો જપ્ત કરાયેલા મુદ્દામાલ ની તેમજ પકડાયેલ ટર્બો સહિત તંત્ર દ્વારા વિગતો હજુ જાહેર કરવા મા આવી નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ પણ કેટલીક સાધન સામગ્રી લાવવા ની બાકી હોવાથી હાલમાં મા ખાણ ખનીજ વિભાગ તેમજ પોલીસ કાફલા સાથે તપાસ ચાલુ રાખવા મા આવી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!