ઊંઝા ઉમિયાધામ ખાતે એકસાથે 1008 બહેનોએ કરી મહાઆરતી : દિવ્ય દ્રશ્યો સર્જાયા

SHARE:

ઊંઝા: 

     નવરાત્રી મહોત્સવના પાવન અવસર પર ઊંઝામાં આવેલું પવિત્ર ઉમિયાધામ ધામ અનોખા ધાર્મિક કાર્યક્રમનું સાક્ષી બન્યું. મા ઉમિયાના ચાચર ચોક ખાતે બુધવારે આઠમના પર્વે એકસાથે 1008 બહેનોએ મહાઆરતી ઉતારી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવભક્તિથી ઓતપ્રોત બની ગયું.

ભક્તોની ઉમટી પડેલી ભીડ

આ ભવ્ય પ્રસંગે ઉમિયાધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. એકસાથે 1008 દીવાઓ પ્રગટાવી બહેનોએ જયારે આરતીનો આરંભ કર્યો, ત્યારે સમગ્ર ચાચર ચોક દિવ્ય પ્રકાશથી ઝળહળાઈ ઉઠ્યો હતો. આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તો ભાવવિભોર થઈ ગયા અને વાતાવરણમાં સતત “જય મા ઉમિયા” ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.

 

શ્રદ્ધા અને ભક્તિનો અનોખો પ્રતિક

આ મહાઆરતીનું આયોજન મા ઉમિયા પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાને વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા નવરાત્રીની ઉજવણીને એક અનોખો અને ઐતિહાસિક રંગ મળ્યો. એકસાથે બહેનોએ દીવાઓ પ્રગટાવી આરતી કરતા ઉમિયાધામનો ચાચર ચોક અનોખી ભક્તિભાવની અનુભૂતિ કરાવતો બન્યો.

ભાગ્યે જ જોવા મળતો પ્રસંગ

આ પ્રકારના પ્રસંગો ભાગ્યે જ જોવા મળે છે. બહેનો દ્વારા એકસાથે આરતી ઉતારવાની ઘટના હજારો ભક્તોના હૃદયમાં છાપ મૂકી ગઈ છે. ઘણા ભક્તોએ જણાવ્યું કે, “આવો દિવ્ય પ્રસંગ જીવનમાં એકવાર જોવા મળે છે. આ પળો અમર બની ગઈ.”

ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર નવરાત્રી

નવરાત્રીના આઠમના પાવન અવસર પર યોજાયેલી આ ભવ્ય મહાઆરતીથી ઉમિયાધામમાં ઉજવણીનો માહોલ વધુ ઉમંગભર્યો અને દિવ્ય બન્યો હતો. મા ઉમિયાના ભક્તોએ આ કાર્યક્રમને ઐતિહાસિક ગણાવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

Leave a Comment

और देखें
error: Content is protected !!