જાકાસણા ના ગ્રામજનોના આરોગ્યની ચાવી તાળામાં — જાકાસણા આયુષ્યમાન આરોગ્ય મંદિર બંધ, કર્મચારી ગાયબ!

SHARE:

રિયાલિટી ચેક..

📍 સ્થળ: જાકાસણા ગામ, તાલુકો જોટાણા (જિલ્લો મહેસાણા)

 તપાસ સમય: ગુરુવાર, બપોરે 3:30 થી 4:00

 ફરજના સમય દરમિયાન તાળું મારેલું આરોગ્ય મંદિર — કેમેરામાં કેદ વાસ્તવિકતા

    જાકાસણા ગામનું આયુષ્યમાન આરોગ્ય મંદિર સેન્ટર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગામના લોકો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે કે અહીં ફરજ બજાવનારા આરોગ્ય કર્મીઓ વારંવાર મોડા આવે છે અને ફરજ પૂર્ણ થતાં પહેલાં જ સેન્ટર ને તાળું મારી જતાં રહે છે.

    અમારા પ્રતિનિધિએ ગુરુવારના બપોરે સાડા ત્રણથી ચાર વચ્ચે રીયાલિટી ચેક હાથ ધર્યો — અને આરોગ્ય મંદિરનું મુખ્ય દ્વાર તાળાબંધ હાલતમાં જોવા મળ્યું. અંદર કોઈ આરોગ્ય કર્મચારી હાજર ન હતો. આ દ્રશ્ય કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયું, જે સ્થાનિકોની ફરિયાદને સાચી ઠરાવે છે.

 ગામજનો ની પીડા: “દર્દી લઈ જઈએ તો તાળું મળે”

સ્થાનિક ગ્રામજનોએ ગુસ્સા ભેર જણાવ્યું કે,

“દર્દી લઈ જઈએ ત્યારે કોઈ આરોગ્યકર્મી મળતા નથી. દરવાજા પર તાળું મારેલું હોય છે. ફરજના સમય દરમ્યાન જ સેન્ટર બંધ રહે એ કેવી સેવા?”

     ગામના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ખાસ તકલીફ અનુભવે છે. તાત્કાલિક સારવાર માટે જોટાણા સુધી જવું પડે છે, જે સમય અને પૈસા બંને માટે ભારરૂપ છે.

 ફરજ વગર પગારની ચર્ચા

  ગામજનો નો આક્ષેપ છે કે આરોગ્ય કર્મીઓ સમયસર ફરજ બજાવતા નથી છતાં નિયમિત પગાર મેળવે છે, જે ન માત્ર તંત્રની બેદરકારી દર્શાવે છે પરંતુ ગ્રામ્ય આરોગ્ય સેવાઓ પ્રત્યે ઉદાસીન વલણ પણ ઉજાગર કરે છે.

આરોગ્ય વિભાગ તરફથી નિયમિત મોનીટરીંગ ન હોવાને કારણે આ પ્રકારની અનિયમિતતા ચાલુ રહે છે.

તંત્ર સામે પ્રશ્નો

શું તાલુકા હેલ્થ ઓફિસરે આ સેન્ટરની હાજરી રજીસ્ટર ચકાસી છે?

ફરજ દરમ્યાન તાળું મારનાર કર્મચારીઓ પર કોઈ કાર્યવાહી થઈ છે?

આ પ્રકારની બેદરકારીને લઈને ઉપરી અધિકારીઓને માહિતી આપવામાં આવી છે કે નહીં?

 જરૂર — તાત્કાલિક તપાસ અને કડક પગલાંની

   ગામજનો હવે માંગ કરી રહ્યા છે કે જોટાણા તાલુકા હેલ્થ ઓફિસર તાત્કાલિક તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આરોગ્ય સેવાઓ ખોરવાય નહીં અને ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.

Leave a Comment

और देखें
error: Content is protected !!