સ્નેક મેન ના હુલામણા નામથી જાણીતા બહુચરાજી ના બે સેવાભાવી યુવાનો :– સતત 17 વર્ષ થી નિસ્વાર્થ સેવા આપતા બે યુવાનોની કહાની

SHARE:

અહેવાલ..પ્રદીપ ઠાકોર ( બહુચરાજી )

   બેચરાજી શહેરમાં માનવતા અને જીવદયા માટે સતત 17 વર્ષથી નિસ્વાર્થ સેવા આપતા બે યુવાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે.

ગઈકાલે સાંજે બેચરાજી ના કનૈયાનગર વિસ્તારમાં 6 ફુટનો ઝેરી સાપ ઘરે દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. પરંતુ માત્ર એક ફોન કરતા જ પોતાની ચાલી રહેલી નોકરી છોડી તરત જ સ્થળ પર દોડી પહોંચી ગયા આ બે યુવાન ચિરાગ બિપીનચંદ્ર રાવલ (વય 36) અને ધ્રુવ મનોજભાઈ જોશી (વય 28).બહુચરાજીના સમર્પણ વિલામાં રહેતા આ બંને યુવાનોએ અત્યંત શાંતિપૂર્વક અને નિષ્ણાત રીતે સાપને સેફ રેસ્ક્યુ કરી નજીકના જંગલ વિસ્તારમાં સલામત રીતે રીલીઝ કર્યો હતો.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે:

“જો આ સમયે કોઈ અજાણ માણસ સાપને મારવા ગયો હોત તો ખતરો બની શકે, પરંતુ આ બંને યુવાનો અત્યંત શાંતિથી કાર્ય કરતા હોય છે તેથી અમે હળવાશ અનુભવીએ છીએ.”

17 વર્ષથી મફત સેવા — એક પણ રૂપિયા લીધા વગર

  ચિરાગ અને ધ્રુવ છેલ્લા 17 વર્ષથી સંપૂર્ણ મફતમાં રેસ્ક્યુ સેવા આપી રહ્યા છે.આ દરમિયાન તેમણે અનેક જીવતોને બચાવ્યા છે. કોઈપણ વ્યક્તિ પાસેથી તેઓ ક્યારેય પણ કોઈ ચાર્જ લેતા નથી.

ખાસ કરીને આ વર્ષે છેલ્લા માત્ર 4 મહિનામાં 178 સાપોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે મૂક્ત કર્યા છે જે માનવતા અને જીવદયા માટેનું અનોખું ઉદાહરણ છે.

બેઉ રેસ્ક્યુઅર્સનું કહેવું છે કે:

“સાપ aggressive નથી, માણસની ભૂલથી અકસ્માત થાય છે. મારવાથી સમસ્યા નહીં, પણ જોખમ વધે છે. યોગ્ય રીતે રેસ્ક્યુ કરવાથી બંને— માણસ અને સાપ— સલામત રહે છે.”

 જીવદયાનો સાચો અર્થ – કોઈને નુકસાન પહોંચાડ્યા વગર કુદરતને બચાવવી

આ યુવાનો માત્ર રેસ્ક્યુ નથી કરતા— પરંતુ લોકોને સજાગ પણ કરે છે કે સાપને મારવો નહિ, તેને બચાવવો એ જ સાચી માનવતા છે.

દર વર્ષે વરસાદી સીઝનમાં સાપો ઘરોમાં દેખાવાની ઘટનાઓ વધી જાય છે.

લોકો ડરથી સાપને મારી નાખે છે, પણ સાપ પર્યાવરણમાં અતિજરૂરી છે અને જીવસૃષ્ટિનો સંતુલન જાળવે છે.

ચિરાગ અને ધ્રુવ જેવા યુવાનો પ્રયાસ કરે છે કે—

લોકો સાપથી ડરે નહીં, પણ સમજણથી વર્તે.

 24×7 સેવા — માત્ર એક ફોન અને તેઓ સ્થળ પર હાજર

 આ યુવાનોની ખાસિયત એ છે કે રાત્રે 12 વાગ્યે હોય કે વહેલી સવારે સાપ દેખાય એવો કૉલ મળે તો તરત દોડી આવે છે.તેઓ જણાવે છે કે તમે કે તમારા વિસ્તારમા સાપ દેખાય તો ક્યારેય તેને મારશો નહીં.

વિશ્વાસપૂર્વક નીચેના નંબર પર સંપર્ક કરશો—

📞 +91 97279 63009

📞 +91 74054 84470

તુરંત જ આ યુવાનો સેફ અને પ્રોફેશનલ રેસ્ક્યુ માટે પહોંચશે.

 અંતિમ વાત..

માનવતા એટલે માત્ર માનવને બચાવવું નહીં…પરંતુ અબોલ જીવોને સુરક્ષિત રાખવું પણ એટલું જ મહત્વનું.ચિરાગ રાવલ અને ધ્રુવ જોશી જેવા યુવાનો આપણા સમાજ માટે પ્રેરણાસ્તંભ છે.અવાં જીવદયાના સૈનિકો સમાજને બતાવે છે કે—

પરિવર્તન લાવવા માટે મોટું મંચ નહીં… પરંતુ મોટું મન જોઈએ.

Leave a Comment

और देखें
error: Content is protected !!