વાવ–થરાદ માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

SHARE:

રિપોર્ટર: કિરણ ચૌધરી, વાવ–થરાદ જિલ્લો

ભારે વરસાદ પછી પણ યાર્ડમાં ખરીદી ધામધૂમથી ચાલુ — 20થી વધુ સંઘોની ભાગીદારીથી ખેડૂતોને સુગમ વ્યવસ્થા

વાવ–થરાદ જિલ્લામાં આવેલા સરદાર પટેલ માર્કેટયાર્ડમાં આજે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શરૂઆતનો દિવસ રહ્યો. રાજ્ય સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ રૂ. 1452 પ્રતિ 20 કિલો નક્કી કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા.

ભલે જ વાવ–થરાદ વિસ્તારમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને પુરને કારણે ખેતીને મોટું નુકસાન થયું હોય, છતાં ખેડૂતો પોતાની પાકની ખરીદી માટે ઉત્સાહપૂર્વક માર્કેટયાર્ડમાં પહોંચ્યા છે. ખરીદી પ્રક્રિયા ધામધૂમથી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ છલકાયો છે.

માર્કેટયાર્ડમાં 20થી વધુ સંઘો ખરીદી પ્રક્રિયામાં જોડાયેલા હોવાથી ખેડૂતોને ભારેખમ રાહ જોયા વિના અને હેરાનગતિ વગર પોતાની મગફળી વેચવાની સુવિધા મળી રહી છે. યાર્ડ મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થિત ટોકન સિસ્ટમ, તોલકાંટા, ગોડાઉન અને પારદર્શક ખરીદી પ્રક્રિયાની સુનિશ્ચિતતા કરવામાં આવી છે.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે—

સરકાર દ્વારા યોગ્ય ટેકાનો ભાવ જાહેર કરી ખરીદી શરૂ થવાથી અમને ખૂબ રાહત મળી છે. વરસાદના નુકસાન પછી આ ખરીદી ખેડૂતો માટે મોટી સહાય બની છે.”

કુલ મળીને, ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે.

Leave a Comment

error: Content is protected !!