રિપોર્ટર: પંચાલ ધાર્મિક વિરમગામ
હિંગળાજ માતાજીના પાવન સ્થાપનાને 27 વર્ષ પૂર્ણ થવાના અવસરે માગશર સુદ આઠમના પવિત્ર દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
પ્રાતઃકાળે મંગળ આરતીથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો, ત્યારબાદ પીઠપૂજન, વિશેષ પૂજન, યજ્ઞવિધિ અને માતાજીના છત્રારોહણની પવિત્રવિધિઓ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ. સમગ્ર સ્થળ પર ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય સ્વરોની ગુંજથી આખા સ્થળે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું, જ્યારે દૂર-દુરથી આવેલા શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનનો લાભ પ્રાપ્ત થયો.
આયોજક સમિતિએ તમામ ભક્તો, સેવકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજી શક્યો.






