અહેવાલ : દિલીપભાઈ બારીઆ, મહીસાગર
રાજ્યમાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફ વધતો ઝુકાવ ધ્યાનમાં રાખીને, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક બોર્ડ દ્વારા બાલાસિનોર તાલુકાના રળીયાતા ગામમાં સ્વયં પ્રેરિત ખેડૂતો માટે વિશેષ પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો કે ખેડૂત પોતાની જમીન વધુ ફળદ્રુપ અને ઉપજાવનારી બનાવવાના સાથે પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન દ્વારા આરોગ્ય અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવન પદ્ધતિ અપનાવે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓને સમજાવવામાં આવ્યું, જેમાં તાલુકા પ્રોજેક્ટ મેનેજર અને બ્લોક ટેક્નોલોજી મેનેજર શકીલભાઈ દ્વારા ખેતીના વિવિધ આયામો, પાકોની સેલેક્ટિવ પદ્ધતિ અને પ્રાકૃતિક ખાતરનું મહત્વ દર્શાવવામાં આવ્યું.
પ્રગતિશીલ ખેડૂત અને તાલુકા સંયોજક દ્વારા નવા પ્રયાસોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવામાં આવ્યું, જેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે. સાથે જ, કે.વી.કે. વેજલપુરના ડોક્ટર જયપાલસિંહ જાદવએ પ્રાકૃતિક ખેતી અને વિવિધ બાગાયતી પાકોના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી સુધી સીમિત નથી, પરંતુ એ આરોગ્યપૂર્ણ જીવન અને સમગ્ર પર્યાવરણ માટે મહત્વપૂર્ણ અભિયાન છે.
પ્રશિક્ષણ દરમ્યાન પ્રાકૃતિક ખેતીના આયામોનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું, જેથી ખેડૂતો પ્રાયોગિક રીતે સમજ શકે. ખાસ કરીને જીરો બજેટ દેશી ગાય આધારિત ખેતી, જમીનની ગુણવત્તા જળવાઈ રાખવી, અને વિવિધ મિશ્ર પાક પદ્ધતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને તેમના માટે માર્ગદર્શન અને તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવી. કાર્યક્રમ અંતે, બધા હાજર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સ્વદેશી અભિયાન માટે શપથ લઈ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ખેતી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કાર્યક્રમનું સંચાલન બાલાસિનોર આત્મા પ્રોજેક્ટ અને બોર્ડ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.







