માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને લોક સેવક જીવા સિસોદિયા એ દર્દીને નવજીવન આપ્યું

SHARE:

ગુજરાત રાજ્યના માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને લોકસેવક જીવા સિસોદિયા ની સમયસૂચકતા અને 108 જેવી તકેદારી થી દર્દીને નવજીવન આપતા લોકો બંને લોક સેવકનો આભાર માની રહ્યા છે.

 

માળીયા હાટીના તાલુકાના મંજુ ભૂપત સિસોદિયા ઉં.વર્ષ 49 ને તાજેતરમાં ગંભીર ફંગસ નું સંક્રમણ થયું હતું જેથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ ટેક્નિકલ કારણોસર “માં” કાર્ડ નીકળતું નહોતું જેથી પરિવાર સારવાર ના ખર્ચ ને લઈને ચિંતામાં મુકાયો હતો ત્યારે આવા કપરા સમયમાં તાલુકાના લોકસેવક જીવા સિસોદિયા નો સંપર્ક કરવામાં આવતા જીવા સિસોદિયાએ તાત્કાલિક વિસ્તારના ધારાસભ્ય અને લોકસેવક ભગવાનજી કરગઠીયા ને જાણ કરતા ધારાસભ્યે તાત્કાલિક મુદ્દાને ગંભીરતા થી લઈ તેમના લેટરપેડ ઉપર જરૂરી રજૂઆત કરી ગાંધીનગર સંપર્ક કેન્દ્ર ઉપર ટેલિફોનીક કામગીરી ઝડપી બનાવવા સૂચના આપતા દર્દીને તાત્કાલિક જરૂરી સારવાર મળી અને જીવતદાન મળ્યું હતું.દર્દીને જીવતદાન મળતા પરિવારજનોએ બંને લોકસેવકોને આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર મામલે બંને લોક પ્રતિનિધિઓની સમય સૂચકતા અને માનવતાવાદી સેવાની ભાવનાની લોકોએ પ્રશંસા કરી હતી

[IT_EPOLL id=”1″][/IT_EPOLL]

.

Leave a Comment

और देखें
error: Content is protected !!