
મહેસાણા તાલુકાના આંબલીયાસણ ગામની બજારમાં આવેલા મહાકાળી જ્વેલર્સના ધોળા દિવસે ત્રણ અજાણ્યા લૂંટારૂઓએ લૂંટ ચલાવતા વેપારીઓમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
મહેસાણા જિલ્લાના આંબલીયાસણ ગામની મુખ્ય બજારમાં સોના ચાંદીના દાગીના નું વેચાણ કરતી મહાકાળી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.શનિવાર ના રોજ ધોળા દિવસે એરગન સાથે ત્રણ અજાણ્યા ઇસમો જ્વેલર્સ માં પ્રવેશ્યા હતા અને દુકાનદાર ને છરીના ઘા મારી લૂંટ ચલાવી ભાગી નીકળ્યા હતા. દુકાન માલિક અશોક પટેલ ઉપર છરી ના ઘા મારી બે એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા.દુકાન માલિક અશોક પટેલ ને ઇજા થતા SMC હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે લાંઘણજ પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.






