હવે તમે જ્યારે રોડ ઉપર અકસ્માતમાં જુઓ તો તમે તેને હોસ્પિટલ પહોંચાડજો તેનો જીવ બચાવજો સરકાર તમને આપશે રૂ.25000 ઇનામ

ઘણા લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે તેનું કારણ છે અકસ્માતનો ભોગ બનનાર ને સમયસર સારવાર નથી મળતી.લોકો જ્યારે અકસ્માત થાય ત્યારે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવા માટે વિચાર કરતા હોય છે તેનું કારણ છે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર સરકારી કામકાજ ના ચક્કરો માં ફસાવા નથી માગતો અને ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર નથી મળતી અને અકસ્માતમાં માં ઘાયલ વ્યક્તિ મૃત્યુ પામે છે પરંતુ હવે મહેસાણામાં ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળી રહેશે અને તેનો જીવ બચી જશે તેનું કારણ છે સરકારની નીતિ.હવે અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિ રાહવીર તરીકે ઓળખાશે.રોડ અકસ્માતમાં અકસ્માત થયા પછીનો 1 કલાક ગોલ્ડન અવર(કલાક) તરીકે ઓળખાય છે જેમાં વ્યક્તિને સમયસર સારવાર મળી રહે તો તેનો જીવ બચાવી શકાય છે.આ 1 કલાકના સમયગાળા દરમ્યાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જો કોઈ વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડશે તેને હવે ઇનામ મળશે.આ માટે જિલ્લા સ્તરે 5 સભ્યોની સમિતિ બનશે જેમાં જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા(એસપી),જિલ્લા આરોગ્ય અધિકારી,CDMO અને RTO ના અધિકારી નો સમાવેશ થશે.અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અધિકારીના અભિપ્રાયબાદ જીવ બચાવનાર વ્યક્તિને રાહવીર તરીકે જાહેર કરી તેને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે જેનાથી અન્ય લોકો પણ પ્રેરણા લઈ શકે.






