કડી ની ગાર્ડન વિલા સોસાયટીમાં લીલાછમ વૃક્ષો કપાતા વૃક્ષપ્રેમીઓ લાલઘૂમ

SHARE:

ચોમાસા દરમ્યાન વૃક્ષોને કાપી શકાતા નથી

કડી છત્રાલ હાઈવે ઉપર આવેલી ગાર્ડન વિલા સોસાયટીમાં આવેલા લીલાછમ વૃક્ષો સોસાયટીના વહીવટી મંડળે કપાવી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

 

પૃથ્વી ઉપર ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા ઉપર ધ્યાન આપી રહી છે ઉપરાંત પરિપત્ર બહાર પાડી ઝાડ કાપવા માટે ની મંજૂરી લેવાની ફરજિયાત કરાઈ છે તેમાં પણ ચોમાસા દરમ્યાન એટલે કે 15 જૂન થી 15 ઓક્ટોબર સુધી ઝાડ કાપવા ઉપર પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં કડી છત્રાલ હાઈવે ઉપર આવેલી ગાર્ડનવિલા સોસાયટીમાં લીલાછમ ઝાડ અગમ્ય કારણોસર સોસાયટીના વહીવટીમંડળે કપાવી દેતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ જોવા મળી રહ્યા છે.

 

      કડી છત્રાલ હાઈવે ઉપર આવેલી ગાર્ડનવિલા સોસાયટી બની ત્યારે સોસાયટીના બિલ્ડર દ્વારા ઝાડ વાવવામાં આવ્યા હતા પરંતુ સમય જતા સોસાયટીનો વહીવટ કરતા મંડળે ઝાડ બિન જરૂરી હોવાનું અને એની ઝાડ નું વાવેતર કરવાનું હોવાનું છુલ્લક કારણ આપી ઝાડ ઘણા બધા ઝાડ કપાવરાવી દીધા હતા.ઝાડ કપાવરાવી દેતા વૃક્ષપ્રેમીઓ રોષે ભરાઈ ઊઠ્યા હતા અને લીલાછમ ઝાડ કયા કારણસર કાપવામાં આવ્યા અને સરકારના પરિપત્ર મુજબ અત્યારે ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવતી નથી તો કોની મંજૂરી બાદ ઝાડ ને કાપવામાં આવ્યા છે

 

 

મંજૂરી વિના ઝાડ કાપી નાખ્યા :– તંત્ર ગુનો દાખલ કરશે કે તે મોટો સવાલ

 

કડી ની ગાર્ડનવિલા સોસાયટીમાં ઘણા સમય થી ઊભેલા લીલાછમ સપ્તપદી ના ઝાડ સોસાયટીના વહીવટી મંડળે કપાવી દેતા ચોમાસા દરમ્યાન ઝાડ કાપવાની મંજૂરી ઉપર સવાલ ઊભા થયા છે.સરકારી પરીપત્ર મુજબ નડતરરૂપ ઝાડ મંજૂરી બાદ કાપી શકાય છે પરંતુ ગાર્ડનવિલા સોસાયટી દ્વારા ઝાડ કાપવા પૂર્વે આવી કોઈ મંજૂરી લેવામાં આવી નહીં હોવાની સોસાયટીના પ્રમુખ નો સંપર્ક કરતા જાણવા મળ્યું છે તો મંજૂરી વિના ઝાડ કપાવનાર લોકો સામે તંત્ર પગલા ભરશે કે લીલાછમ ઝાડ ના નિકંદન બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં સુતેલું રહેશે ?? તેવા પ્રશ્નો અત્યારે તો પર્યાવરણ પ્રેમીઓમાં સતાવી રહ્યો છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!