મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

SHARE:


મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

તા.૨૯/૮/૨૦૨૫ થી તા.૦૭/૯/૨૦૨૫ દરમ્યાન અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો યોજાનાર છે. આ મેળામાં અંબાજી પગપાળા જવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ તથા સંઘો મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થઈ અંબાજી જતા હોય છે. સૌથી વધારે યાત્રીકોનો ધસારો મહેસાણા જીલ્લાની હદમાંથી વસઈ, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના માર્ગ ઉપર રહેતો હોય છે.

 

આ સમય દરમ્યાન મોટા કોર્મશીયલ વ્હીકલો જેવા કે ટ્રક, ડમ્પર, લકઝરી બસ, આઈસર જેવા ભારે વાહક તથા પેસેન્જર વાહનોની અવર જવરથી અકસ્માત થવાની પુરેપુરી શક્યતા રહેલી છે. જેથી પદયાત્રીઓની સુરક્ષા ધ્યાને લઈ તેઓના જાનમાલની સાચવણી થઈ શકે તેમજ કાયદો-વ્યવસ્થા તથા સુખાકારી સગવડો જળવાઈ રહે તે માટે તા.૨૯/૮/૨૦૨૫ થી તા.૦૭/૯/૨૦૨૫ ૨૪:૦૦ કલાક સુધી નીચેના રૂટ ઉપર ભારે વાહનોને (કોર્મશીયલ વાહનો) ડાયવર્ટ કરતું મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જશવંત કે.જેગોડા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

 

આ જાહેરનામા મુજબ (૧) ગાંધીનગર થી વિસનગર તરફ આવતા વાહનોને ડાભલા ચાર રસ્તાથી મહેસાણા રામપુરા ચોકડી થઇ પાલાવાસણા ચોકડી થઇ ભાન્ડુ-વાલમ તરફ જવું, (૨) વિજાપુરથી વિસનગર તરફ આવતા ભારે વાહનો વલાસણા, વડનગર તરફ જવુ, (3) ઉંઝા તરફ થી વિસનગર તરફ આવતા ભારે વાહનોને ભાન્ડ્રુ હાઇવેથી મહેસાણા તરફ જવું, (૪) વડનગર, ખેરાલુ તરફથી વિસનગર આવતા ભારે વાહનોને વડનગરથી ઉંઝા થઇ મહેસાણા તરફ જવું, (૫) મહેસાણા થી વિસનગર તરફ જતા-આવતા ભારે વાહનોને મહેસાણા થી પાલાવાસણા સર્કલ થઈ મહેસાણા બાયપાસ ભાન્ડુ-વાલમ રોડ થઈ વિસનગર તરફ જવું, (૬) વિસનગર, વડનગર તરફથી ખેરાલુ આવતા ભારે વાહનો સિધ્ધપુર ચોકડી(ખેરાલુ) થી સિદ્ઘપુર ખળી ચાર રસ્તા તરફ જવું, (૭) અંબાજી તરફથી આવતા ભારે વાહનો કોઠાસણા ચોકડીથી સુદાસણા, ડાવોલ, ડભાઠ, વૃંદાવન ચાર રસ્તા સિધ્ધપુર ખળી ચાર રસ્તા તરફ જવું, (૮) ખેરાલુના ડભોડા ચાર રસ્તાથી વરેઠા, જસપુર, રીછડા, ભાટવાસ, ભાલુસણા (બાયપાસ), કોઠાસણા ગામ થઈ કોઠાસણા ચાર રસ્તા તરફ જવું, (૯) ઉંઝા-મહેસાણા-પાટણ તરફ થી સીવાલા સર્કલ થઈ પાલાવાસણા તથા ઉંઝા ફતેપુરા સર્કલ, રાદનપુર સર્કલ, પાલાવાસણા, રામપુરા થઇ ગોઝારીયા, ગાંધીનગર તરફ જતા ભારે વાહનો નંદાસણ હાઇવે તરફ જવું.

 

આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ ઠેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!