કડી ના થોળ ની મોટી ઘટના ભૂખમરાથી 20 ગાયો ના મોત || અધિકારીઓ ની મિલીભગત ની ચર્ચા એ જોર પકડયું

SHARE:

મહેસાણા, 31 ઓગસ્ટ: કડી ના થોળ ની મોટી ઘટના ભૂખમરાથી 20 ગાયો ના મોત || અધિકારીઓ ની મિલીભગત ની ચર્ચા એ જોર પકડયું

 

મહેસાણા પાંજરાપોળમાં 15-20 ગાયોના મૃત્યુ: ખોરાકની અછત કારણ માનવામાં આવી રહ્યું છે

મહેસાણા, 31 ઓગસ્ટ: કડી તાલુકાના થોળ નજીક આવેલ રાધાકૃષ્ણ પાંજરાપોળમાં આશંકાજનક સ્થિતિ સામે આવી છે. અહીં રાખવામાં આવતી અંદાજે 15 થી 20 ગાયોના મૃત્યુ થયા છે.

આ પાંજરાપોળમાં મહેસાણા નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલી ગાયો રાખવામાં આવતી હતી. પાંજરાપોળને નાણાકીય સહાય આપવામાં આવતી હોવા છતાં, ખોરાકની અછતને કારણે ગાયોના મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે ખાનગી ટ્રસ્ટ ઘટના સ્થળે પહોંચ્યું, ત્યારે મૃત ગાયો ટ્રેક્ટરમાં ભરાઈ રહી હતી. ટ્રસ્ટ દ્વારા પોલીસને જાણ કરતાં બાવળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થળ પર તપાસ શરૂ કરી. મૃત ગાયોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે.

ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ છવાયો છે. સ્થાનિકો અને પ્રાણી રક્ષા સંસ્થાઓ દ્વારા વિગતવાર તપાસની માંગ કરવામાં આવી રહી છે.

મહેસાણા નગરપાલિકા અને પોલીસ મામલે વધુ સ્પષ્ટતા કરશે

Leave a Comment

और देखें
error: Content is protected !!