વિસનગર APMCમાં નવા નેતૃત્વની નિયુક્તિ: ડો. જયંતિભાઈ પટેલ ચેરમેન, ભરતભાઈ ચૌધરી વાઇસ ચેરમેન

SHARE:

વિસનગર: 

 

    વિસનગર કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) માં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ થઈ છે. ચૂંટણી અધિકારી દ્રષ્ટિબેન ઓઝાની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં ડો. જયંતિભાઈ પટેલ ચેરમેન અને ભરતભાઈ ચૌધરી વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે.

ડિસેમ્બર 2022 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે કુલ 16 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. અઢી–અઢી વર્ષની ફરતી પદ્ધતિ મુજબ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવી છે. નિયમ અનુસાર નવા હોદ્દેદારોને હવે 11 મહિનાનો કાર્યકાળ મળશે.

નવા નેતૃત્વના કાર્યક્રમો હેઠળ ખેડૂતો માટે ઝડપી લોન, ડિજિટલ પેમેન્ટ અને બેંકિંગ સુવિધાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉપરાંત, બેંકો સાથે સહયોગથી ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન લોન યોજનાઓ શરૂ કરવાની યોજના છે, જેનાથી નાણાકીય પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે.

નવા હોદ્દેદારોને પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ ભાજપના મોવડી મંડળ અને ટેકેદારોનો આભાર માન્યો અને વિસનગર APMC ને સફળતા શિખરે લઈ જવાના આશાવાદી વ્યકત કર્યો.

Leave a Comment

और देखें
error: Content is protected !!