સમાચાર ડાયરી 24×7 ન્યૂઝ
ગાંધીનગર: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણીને લઈને ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે વિપક્ષી નેતાએ ફરી એકવાર ભાજપને ઘેર્યું છે. ભાજપના આંતરિક લોકશાહીના દાવાઓ પર આકરા પ્રહારો કરતાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ તીખા આક્ષેપો લગાવ્યા છે.
ઇટાલિયાએ ગર્જના કરતાં કહ્યું છે કે, “એક તરફ ભાજપ ચૂંટણીમાં નથી માનતી અને બીજી તરફ તેઓ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણીનું નાટક કરી રહ્યા છે. જો ભાજપમાં ખરેખર લોકશાહી હોત અને તેઓ ચૂંટણીમાં માનતા હોત, તો આંતરિક ચૂંટણીની આ જરૂરિયાત ક્યાંથી ઊભી થઈ? આ માત્ર એક દેખાડો છે!”
ઇટાલિયાના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ભાજપની આંતરિક વરણી પ્રક્રિયા પર ઉઠેલા આ સવાલોએ વિવાદનું નવું મોજું સર્જ્યું છે. શું ભાજપ માત્ર ઔપચારિકતા પૂરી કરી રહ્યું છે, કે પછી ખરેખર કોઈ મોટો ખેલ ચાલી રહ્યો છે?
ભાજપના આંતરિક લોકશાહીનો સવાલ! શું આ માત્ર ‘ગોઠવણ’ છે કે ‘ચૂંટણી’?
સમાચાર ડાયરી 24×7 ન્યૂઝ સાથે જોડાયેલા રહો, દરેક પળની તીખી ખબર માટે!






