કંપની સંચાલકોનો દાદાગીરી ભર્યો દાવો – “પ્રદૂષણ વિભાગ અમારા ખિસ્સામાં છે
ગામલોકોએ GPCB અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગણી કરી

નંદાસણ ..
મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા નંદાસણ ગામની સીમમાં આવેલી હેમી ઈન્ટરનેશનલ પ્રા.લી. નામની એરંડા મીલ કંપનીના બેફામ ધુમાડા અને દુર્ગંધથી ઉમાનગર ગામના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.
આ કંપનીમાં એરંડા પીલાણનું કામ થાય છે, જેમાંથી નીકળતા ધુમાડા અને રસાયણિક દુર્ગંધના કારણે ગામના લોકો છેલ્લા અનેક મહિનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, આંખોમાં ચમચામાટ અને ચામડીની સમસ્યાઓ જેવી તકલીફોનો સામનો કરી રહ્યા છે.
ગામલોકોએ અનેકવાર કંપનીના મેનેજરો અને સંચાલકોને રજૂઆત કરી હોવા છતાં કોઈ સુધારાત્મક પગલા લેવામાં આવ્યા નથી. સંચાલકોનો દાદાગીરી ભર્યો દાવો છે કે “પ્રદૂષણ વિભાગ તો અમારા ખિસ્સામાં છે, તમારાથી થાય તે કરી લો”, જે સાંભળીને લોકોમાં ગુસ્સો વ્યાપી ગયો છે.

કંપની દ્વારા ઉત્સર્જન માટેની માન્ય મર્યાદાઓ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અનુસાર દરેક ઉદ્યોગ માટે ઉત્સર્જન અને પ્રદૂષણની નિર્ધારિત મર્યાદા છે.
વિગત મુજબ:ઉત્સર્જનનું માપદંડ.માન્ય મર્યાદા (Industrial Stack). Particulate Matter (PM)
મહત્તમ 150 mg/Nm³ સુધી માન્ય
Sulphur Dioxide (SO₂)
80 µg/m³ સુધી માન્ય
Nitrogen Oxides (NOx)
80 µg/m³ સુધી માન્ય
Noise Level (Industrial Zone)
દિવસમાં 75 dB(A), રાત્રે 70 dB(A)
Chemical Emission (Organic Units)
COD, VOC વગેરે માટે GPCB નિયમો પ્રમાણે નિયંત્રણ જરૂરી
આ મર્યાદા કરતાં વધુ ઉત્સર્જન થવું કાયદેસર ગુનો ગણાય છે અને તેના માટે Air (Prevention and Control of Pollution) Act, 1981 હેઠળ પગલા લઈ શકાય છે.
ક્યાં રજૂઆત કરવી – ગામલોકો માટે માર્ગદર્શિકા
જો ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે અને GPCBના નિયમોનું પાલન ન કરે, તો નીચે મુજબ કાર્યવાહી કરી શકાય:
ગ્રામ પંચાયત / તાલુકા કચેરીમાં રજૂઆત
ગામલોકો સમૂહમાં લખિત અરજી કરીને તાલુકા વિકાસ અધિકારીને માહિતી આપી શકે.
જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા વિકાસ અધિકારી (DDO)
મહેસાણા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી શકાય છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), મહેસાણા રીજનલ ઓફિસ
સરનામું : Paryavaran Bhavan, Mehsana Regional Office
ફોન : (02762) 258294
ઈમેઈલ : gpcb-meh@gujarat.gov.in
વેબસાઈટ : https://gpcb.gujarat.gov.in
કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)
જો રાજ્ય બોર્ડ કાર્યવાહી ન કરે તો સીધી ફરિયાદ https://cpcb.nic.in/query-form1.php પર કરી શકાય છે.
ન્યાયિક વિકલ્પ – National Green Tribunal (NGT)
જો લાંબા સમય સુધી કોઈ ઉકેલ ન મળે, તો લોકો NGT, પશ્ચિમ ઝોન બેન્ચ (પુણે) માં અરજી કરી શકે છે.
કાયદાકીય પગલાં શક્ય
GPCB દ્વારા તાત્કાલિક તપાસ અને ઉત્સર્જનના નમૂના એકત્રિત કરી શકાય.
કંપનીને નોટિસ આપી પ્રદૂષણ નિયંત્રણ સાધનો લગાવવા ફરમાન આપી શકાય.
નિયમોનો ભંગ સાબિત થાય તો ઉદ્યોગના લાઈસન્સ સસ્પેન્ડ અથવા રદ કરી શકાય.
આરોગ્ય પર અસર થતી હોય તો પીડિત લોકો NGT મારફતે નુક્શાનની ભરપાઈ (Compensation) પણ માગી શકે છે.
ગામલોકોની માંગ
ઉમાનગરના ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે“કંપની દ્વારા લગાવવામાં ન આવેલા ફિલ્ટર અને કંટ્રોલ યંત્રો તાત્કાલિક લગાવવામાં આવે, અને ત્યાં સુધી ફેક્ટરીના ધુમાડા ઉત્સર્જન પર રોક મૂકવામાં આવે.”
સ્થાનિક લોકોનો દાવો છે કે પ્રદૂષણના કારણે બાળકોમાં શ્વાસ અને ચામડીની સમસ્યાઓ વધી છે, અને પાકોમાં પણ અસર જોવા મળી રહી છે.
પર્યાવરણવિદો ની સલાહ
પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉદ્યોગો માટે માત્ર મંજૂરી મેળવવી પૂરતી નથી — તેઓએ નિયમિત રીતે “Emission Monitoring Report” GPCB ને સોંપવી ફરજિયાત છે. જો તે કરવામાં આવતું નથી, તો તે ગંભીર કાયદાકીય ઉલ્લંઘન છે.
તંત્રી સ્થાને થી
નંદાસણની આ ફેક્ટરી સામે ગામજનોની લડત માત્ર એક ગામની નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના સ્વાસ્થ્ય અને પર્યાવરણની લડત બની છે. લોકો હવે આશા રાખી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક તપાસ કરશે, પ્રદૂષણ રોકશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે.






