બહુચરાજી – મોઢેરા હાઈવે ઉપર દેલવાડા નજીકના નદીના પુલ પાસે જોખમની ‘ગડર’: અકસ્માત પહેલાં તંત્ર જાગશે કે પછી?

SHARE:

અહેવાલ.. પ્રદીપ ઠાકોર ( બેચરાજી )

  બહુચરાજી…

    બહુચરાજી તાલુકાના દેલવાડા ગામ પાસે આવેલ નદીના પુલ પરથી ભારે માલવાહક વાહનોની અવરજવર અટકાવવા તાલુકા અને R&B વિભાગે પુલના બંને છેડે લોખંડી ગડરો (iron barricades/height bar) સ્થાપિત કર્યા હતા. તેનો હેતુ સ્પષ્ટ હતો—પુલની ક્ષમતા કરતા વધારે ભાર વાળા ટ્રકોને રોકવા અને પુલની સુરક્ષા જાળવી રાખવા. પરંતુ હાલ આ જ ગડર જોખમનું કારણ બની રહી છે.

 ગડર ના ઉપરનો ભાગ છૂટી ગયો – હવે જાન જોખમમાં

  મોઢેરા તરફથી આવતા છેડે મૂકેલી ગડર નો ઉપરનો ભાગ બોલ્ટ છૂટી જતાં હવે તે આડી રીતે લટકી રહ્યો છે. દિવસ દરમ્યાન પણ સ્પષ્ટતા ઓછી દેખાય અને રાત્રે તો લગભગ અદૃશ્ય ની જેમ. આવા સંજોગોમાં ટુ-વ્હીલર, ટેમ્પો અથવા કાર અથડાય તો ગંભીર અકસ્માત, માથાની ઈજા કે મૃત્યુ સુધીનું જોખમ ઉભું થઈ શકે છે.સ્થાનિક વાહનચાલકો અને રહેવાસી ઓનો આક્ષેપ છે કે ઘણા દિવસોથી ગડર આવી સ્થિતિમાં છે, છતાં કોઇપણ વિભાગે તેને સારું કરવા પગલું ભર્યું નથી.

સ્થાનિકોની ફરિયાદ: અકસ્માત થાય પછી જ અધિકારીઓ ખિસ્સામાંથી કલમ કાઢશે?

  દેલવાડા–બહુચરાજી હાઈવે પર દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને વહેલી સવારે અને રાતે નાના વાહનચાલકોને ગડર દેખાતી પણ નથી. અનેક વખત વાહનચાલકોએ હોર્ન વગાડીને એકબીજાને ચેતવણી આપી છે.

સ્થાનિક લોકોનો સવાલ સ્પષ્ટ છે:

વ્યવસ્થા લોકોના પ્રાણ બચાવવા માટે છે કે પ્રાણ લઈ લે તે માટે?”

જો આ ગડર નીચે પડી જાય, અથવા કોઈ વાહન અથડાય, પછી FIR, તપાસ, પેપરવર્ક અને જવાબદારી નક્કી થશે. પરંતુ શું દર્દનાક અકસ્માતની રાહ જોવી જરૂરી છે?

 જોકે ડિઝાઇન પણ ચર્ચાસ્પદ 

પુલ પર ગડરો લગાવવી જરૂરી હતી—પરંતુ:

• ગડર ખૂબ નજીક છે

• રાત્રે રિફ્લેક્ટર સ્ટીકર નથી

• લાઈટની વ્યવસ્થા નબળી

• ગડરનો ઉપરનો ભાગ પ્રોપર welding વગર

અર્થાત તંત્રએ ગડર લગાવી એની જવાબદારી ત્યાં જ પૂર્ણ માનીએ તેમ લાગી રહ્યું છે.

 

રોડ સેફ્ટી પ્રોટોકોલ મુજબ આ પ્રકારની ગડર પર bright reflector, warning board, side marking, speed breaker, night-lighting જરૂરી છે. પરંતુ અહીં બધું કાગળ પર છે કે નહીં એ પ્રશ્ન છે.

 GPS રેકોર્ડ પ્રમાણે પણ પુલ પરથી ‘overload’ વાહન હજી પસાર થતું જોવા મળે

 સ્થાનિક પરિવહન વ્યવસાયી. ઓનો દાવો છે કે ઊંચાઈ ન હોવાને લીધે અને દેખાવ નબળો હોવાથી કેટલાક હળવા કોમર્શિયલ વાહનો અને પિકઅપ ટ્રકો ગડર વચ્ચે થી ગોઠવીને પસાર થઈ જાય છે. એટલે ગડર નો હેતુ પણ નિષ્ફળ જાય છે.

 

અધિકારીઓ ક્યાં?

 ગ્રામજનો મુજબ અહીં થી ઘણી વખત જે તે વિભાગ ના અધિકારીઓ નીકળતા હોય છે પરંતુ હજી સુધી મરામત કે તાત્કાલિક કાર્યવાહી નથી.

પ્રશ્ન : શું ટેન્ડર – ફાઈલ – મંજૂરીના ચક્કરમાં લોકોનો જીવ જોખમમાં મૂકવામાં આવશે?

 અંતિમ અને કડક સવાલ

દેલવાડા નજીકની નદીનો આ પુલ વર્ષોથી હજારો લોકો માટે લાઇફલાઇન છે –

તો પછી આ ગડર:

• બેદરકારી છે?

• કે અવ્યવસ્થાનો જીવંત દાખલો?

જે રીતે ડીસા, પાટણ અને મહેસાણા હાઇવે પર એવા સિમિલર incidentsમાં અકસ્માતો બાદ જ કાર્યવાહી થઈ હતી, શું અહીં પણ પ્રથમ લોહી વહે પછી કલમ ચાલે?

 જનતા અને વહીવટી તંત્ર માટે અપીલ

• ગડર તાત્કાલિક રિપેર અથવા સ્થિર કરવું

• રાત્રે રિફ્લેક્ટર અને ચેતવણી બોર્ડ

• પુલની સેફ્ટી ચેક

• ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ

આ પ્રશ્ન સીધો રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી નહીં, માનવજીવનની સુરક્ષાથી છે.

જવાબદારી ટાળવા નહીં—લઈને પગલું ભરવાનો સમય આવી ગયો છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!