વિસનગર તંત્રની બેદરકારી! ખુલ્લી ગટરો શહેર માટે મરણફાંસ – વિક્રમ સિનેમા સામે ગાય ખાબકી, મોટા અકસ્માતથી બચાવ

SHARE:

 

   વિસનગર શહેરમાં નાગરિક સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ હકીકતમાં તંત્રની બેદરકારી લોકજીવનને જોખમમાં મૂકે છે તે વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે.વિક્રમ સિનેમા સામેના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટરમાં ગઈકાલે ગાય માતા ખાબકતા હાહાકાર મચી ગયો.સદભાગ્યે ‘હસતું મુખડું જીવદયા ગ્રુપ’ અને તાત્કાલિક દોડી આવેલા ફાયર વિભાગના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી ગાયને બહાર કઢી લીધી. ગાયને સારવાર આપી સુરક્ષિત છોડી દેવામાં આવી.

પરંતુ અહીં મૂળ પ્રશ્ન ગાયના બચાવનો નથી—પ્રશ્ન છે ખુલ્લી ગટરના કારણે કોઈપણ ક્ષણે બની શકે તેવી જાનહાનિ નો.

 મોટો સવાલ: જો ગાય નહીં, પણ નાનું બાળક પડ્યું હોત તો?

   રસ્તા પર સતત ટ્રાફિક ચાલે છે, લોકો અવરજવર કરે છે, બાળકો રમે છે, વૃદ્ધો ચાલે છે.આ પરિસ્થિતિમાં ખુલ્લી ગટર એટલે જીવલેણ જાળ.સ્થાનિક રહેવાસી ઓનો સીધો આરોપ

“ગટર ખુલ્લી છે એ તંત્રને ખબર નથી એવું થઈ શકે? કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?”

 તંત્રની આંખ આડા કાન

વિસનગર નગરપાલિકાએ કરોડોની ગ્રાન્ટ, રોડ-વિકાસ, સફાઈના દાવા કર્યા છે.પોતાના સોશિયલ મીડિયામાં ‘શહેર સ્માર્ટ બને છે’ એવા નારા લગાડે છે.પરંતુ જમીન પરની હકીકત—ખુલ્લી ગટરો, તૂટી ગયેલા કવર, પાણી ભરાઈ જતાં અદૃશ્ય ખાડા, નાગરિકોના જીવન માટે સીધો ખતરો.આ ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે: શહેરની ગટર સિસ્ટમ નું નિરીક્ષણ કોણ કરે છે?

 ખુલ્લી ગટરો બંધ કરવાની જવાબદારી કોની?

 જો અકસ્માત બને તો જવાબદાર કોણ?

લોકોની આક્રોશભરી પ્રતિક્રિયા

વિસનગરના નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી.

લોકો કહે છે:

“દર વર્ષે ટેક્સ વધે છે, પણ કામગીરી શૂન્ય!”

“આ રસ્તા પર બાળકો સ્કૂલ જઈ-આવે છે, આ બેદરકારી માફી લાયક નથી.”

“જો ગાયની જગ્યાએ બાળક પડ્યું હોત તો?”

 આવી ઘટના પહેલી વાર નથી

વિસનગરમાં અગાઉ પણ ખુલ્લી ગટરો, તૂટી ગયેલા મેન હોલ અને રોડ ઉપરના ખાડાઓને કારણે અકસ્માતો થતા રહ્યા છે.

પરંતુ તંત્ર હંમેશા “ટૂંક સમયમાં કામ થશે”, “ટેમ્પરરી કવર મૂક્યાં છે” જેવી રટણ કરી આગળ વધે છે.

 સવાલો તંત્રને

 શું શહેરના મુખ્ય રસ્તાઓનું નિયમિત સર્વેક્ષણ થાય છે?

 તૂટેલા ગટર કવર નવા કેમ નથી મુકાતા?

 જીવદયા અને ફાયર ટીમ જાગૃત હોય તો તંત્ર કેમ નથી?

 શું નાગરિકોની સુરક્ષા કાગળ પર પૂરતી છે?

 જાગો તંત્ર, જવાબદારી લો!

આ ઘટના સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે વિસનગરમાં ખુલ્લી ગટરો માત્ર ગંદકીનું નહીં, પરંતુ જાનહાનિ નું જોખમ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ને તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે— ખુલ્લી ગટર કવર કરવી

 તૂટેલા મેન હોલ રિપ્લેસ

 ડેન્જર ઝોન પર બોર્ડ અને બેરિકેડ

ફીલ્ડ સર્વે અને મેન્ટેનન્સ ટીમ સક્રિય કરવી

કારણ કે નાગરિકોનો પ્રશ્ન સાદો છે: “અમારા જીવનની કિંમત તંત્ર માટે કેટલી?”

Nisarg Patel
Author: Nisarg Patel

Leave a Comment

और देखें
error: Content is protected !!