શંખેશ્વર–બહુચરાજી માર્ગ પર ભારે વાહનોનો વધેલ બોજો: જર્જરીત બે પુલો જોખમની ચેતવણી આપે છે, કોઈ મોટી દુર્ઘટના થયા પહેલા તંત્ર જાગશે?

SHARE:

રિપોર્ટર: દિલીપસિંહ જાડેજા,શંખેશ્વર – પાટણ

પાટણ જિલ્લાના મહત્વપૂર્ણ અને પવિત્ર યાત્રાધામ શંખેશ્વર નજીક છેલ્લા ઘણા સમયથી રતનપુરા પાસેની રૂપેણ નદીનો પુલ જર્જરીત હાલતમાં હોય, સરકારના જાહેરનામા મુજબ ભારે વાહનોની એન્ટ્રી ત્યાંથી બંધ કરી દેવામાં આવી છે. પરંતુ આ પ્રતિબંધનો સીધો બોજો હવે શંખેશ્વર–બહુચરાજી રોડ પર પડી રહ્યો છે, જેના પરિણામે નવા જોખમો ઊભા થયા છે.

રતનપુરા પુલ બંધ → આખો ભાર બહુચરાજી રોડ પર

ભારે લોડિંગ અને લોડેડ ફરિયાઓ હવે સંપૂર્ણપણે આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. આ સતત દબાણને લીધે પાડલા–મકોડીયા ગામ વચ્ચે આવેલો નાનો પુલ પણ હવે જર્જરીત હાલતમાં ધ્વસ્તી કગાર પર દેખાઈ રહ્યો છે.સ્થાનિકોમાં હાલ ચર્ચા એ છે કે “આવા પુલ પર ભારે વાહનો પસાર થાય છે ત્યારે જો કોઈ મોટી ઘટના બને, તો જવાબદાર કોણ?”

મારુતિ કંપનીમાં કામદારો માટે જોખમી બનેલો માર્ગ

શંખેશ્વર તાલુકા અને આસપાસના ગામોના મોટી સંખ્યામાં યુવાનો બહુચરાજી પાસે આવેલી મારુતિ કંપનીમાં રોજીન્દી નોકરી કરવા જાય છે.આ રોજિંદા અપ-ડાઉન માટે તેઓ આ જ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ માર્ગ પર ઊંડા ખાડા અને ઊચા-નીચા પેચ-વર્કને કારણે બાઇક ચાલકો ગંભીર જોખમમાં મુકાઈ રહ્યા છે.

“દરરોજ કોઈને કોઈ કામદાર બાલન્સ ગુમાવે છે, પડવા-ધકરા ખાવાની ઘટના બની રહી છે,” એવી ચર્ચા કર્મચારીઓમાં ચાલે છે.

જૈન યાત્રાળુઓ માટે મુખ્ય માર્ગ, પરંતુ હાલાકી ભર્યો અનુભવ

શંખેશ્વર–મહુડી–મહેસાણા માટેનો આ રસ્તો જૈન યાત્રાળુઓ માટે મહત્વનો શોર્ટકટ રુટ ગણાય છે.પરંતુ હાલના ખરાબ રસ્તા અને તૂટી રહેલા પુલોને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સ્થાનિકોમાં સવાલ ઉઠે છે: “શંખેશ્વર જેટલા મોટા યાત્રાધામ તરફ જતાં આ રસ્તાની હાલત આવી હોય, તો શું તંત્રને યાત્રાળુઓનું મહત્વ ખબર નથી?”

જવાબદાર કોણ? માર્ગ–મકાન વિભાગ સામે અંગુલિ નિર્દેશ

સ્થાનિક જનતામાં મોટો આક્રોશ છે કે માર્ગ–મકાન વિભાગે અત્યાર સુધી આ ગંભીર સમસ્યાની દિશામાં કોઈ નોધપાત્ર પગલાં લીધાં નથી.પુલ પડવાની અથવા મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નજર સામે હોવા છતાં તંત્રની “બેદરકારી”ને લઈને ચર્ચા છે.

જનમાગણી: “તાત્કાલિક સમારકામ અથવા નવો રોડ બનવો જ જોઈએ”

સ્થાનિક ગ્રામજનો, જૈન યાત્રાળુઓ અને રોજેરોજ મુસાફરી કરતા કામદારોની સ્પષ્ટ માંગ છે કે:શંખેશ્વર–બહુચરાજી માર્ગનો તાત્કાલિક સમારકામ થાય,પાડલા–મકોડીયા પુલનો સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને મરામત કરાય,રતનપુરા રૂપેણ નદીના પુલનો નવેસરથી નિર્માણ થાય અને ભારે વાહનો માટે વિકલ્પ માર્ગ નક્કી થાય

જો સમયસર કાર્યવાહી ન થાય, તો કોઈ દિવસ મોટી જાનહાનિ સર્જાય એમાં શંકા નથી — એવી ચેતવણી જનમેદનીથી આપી રહી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!