રીપોર્ટર – અસરફ હનીફ સંધવાણી (માળીયા મીયાણા)
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે ત્રણ વર્ષ પહેલાં બનેલી અત્યંત સંવેદનશીલ હત્યાની ઘટનામાં કોર્ટએ થનારી ન્યાય પ્રક્રિયાનો અંત લાવતા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2021માં બહેન સાથે પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખીને યુવકની છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને કોર્ટે ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
2021ની સાંજ… પ્રેમલગ્નનો ખાર અને લોહીલુહાણ હુમલો
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2021ના 21 મેના રોજ વર્ષામેડી વિસ્તારમાં થયેલી આ ઘટના સમગ્ર મોરબી જિલ્લામાં ચર્ચાનું કારણ બની હતી.આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા, રહે. વર્ષામેડી, પોતાની બહેન જિજ્ઞાસાના પ્રેમલગ્નથી રોષે ભરાયો હતો. પ્રેમલગ્ન કરનાર યુવક હરેશભાઈ ભરતભાઈ વાઘેલા વર્ષામેડી વિસ્તારમાં રહેતો હતો.
જિજ્ઞાસાના પ્રેમલગ્નનો ખાર રાખીને આરોપી દિનેશે હરેશભાઈ વાઘેલાને રસ્તામાં રોકી છરી વડે અનેક ઘા મારી નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાસ્થળે લોહીનાં ચીતરાં અને આસપાસ ફેલાયેલી દહેશતથી સમગ્ર વિસ્તાર ગજબો થઈ ગયો હતો.
મૃતકની માતાએ નોંધાવી ફરિયાદ, પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરી
આ ઘટનાને લઈને મૃતકની માતા ભાનુબેન ભરતભાઈ વાઘેલા માળિયા મિયાણા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસે તરત જ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની વિરુદ્ધ પૂરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કેસની તપાસ દરમ્યાન હત્યાના હથિયારથી લઈને સાક્ષીઓના નિવેદનો અને તમામ ક્રાઈમ ટેક્નિકલ પાસાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટ સમક્ષ મજબૂત પુરાવા — આરોપીને કસૂરવાર ઠરાવી આજીવન કેદ
આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો જ્યાં સરકારી પક્ષે આરોપીના ઇરાદાપૂર્વક કરાયેલા હુમલાની સ્પષ્ટ સાબિતીઓ રજૂ કરી હતી.
કોર્ટએ તમામ પુરાવા, સાક્ષીઓ અને ઘટનાક્રમની તટસ્થ સમીક્ષા કર્યા બાદ આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ દોષિત ઠરાવ્યો છે.
સજા અને દંડ
આજીવન કેદની સજા
રૂ. 10,000 નો દંડ
દંડ ન ભરાય તો વધારાની બે વર્ષની સાદી કેદ
આ કેસમાં સરકારી વકીલ વિજય જાની દ્વારા પ્રભાવશાળી દલીલો કરવામાં આવી હતી.
પ્રેમલગ્નને કારણે બનેલી દુઃખદ ટ્રેજેડી
વર્ષામેડી ગામના આ કેસમાં એક પ્રેમલગ્નને કારણે પરિવારિક રોષ, અહંકાર અને માનસિક અસહિષ્ણુતાનો કેવી રીતે ભયાનક અંત આવે છે તેનું ગંભીર ઉદાહરણ મળે છે. આ ચુકાદો સમાજ માટે સંદેશ આપે છે કે વ્યક્તિગત દુશ્મની કે સંબંધોના વિવાદને લઈને હિંસા કે હત્યા કોઈ પણ રીતે સહન નહીં કરવામાં આવે






