મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી — શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત

SHARE:

રિપોર્ટર : પ્રદીપ ઠાકોર (બહુચરાજી)

મહેસાણા જિલ્લામાં આવેલા શક્તિસ્થાન બહુચરાજી યાત્રાધામ ખાતે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અચાનક ચેકિંગ ડ્રાઇવ ચલાવી મોટી કાર્યવાહી હાથ ધરી. યાત્રાધામ વિસ્તારમાં ચાલતી ખાદ્ય તેલની ચાર અલગ–અલગ હોલસેલ અને રીટેઇલ પેઢીઓમાં તાપસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓએ કુલ રૂ. 4.34 લાખનું શંકાસ્પદ ખાદ્ય તેલનું સ્ટોક જપ્ત કર્યો છે. જેમાં સોયાબીન તેલ, કપાસિયા તેલ, સીંગતેલ તેમજ અન્ય મિશ્રિત તેલનો જથ્થો સામેલ છે.

વિભાગ દ્વારા કુલ 9 સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ્સ કાયદેસર તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. જો લેવાયેલા નમૂનાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થાય, તો આ બ્રાન્ડનું સંપૂર્ણ રાજ્યભરમાં જેટલો સ્ટોક ઉપલબ્ધ હશે તે બધો જપ્ત કરવામાં આવશે.

સાથે જ ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સેમ્પલ ફેઈલ થતા માત્ર હોલસેલર જ નહીં, પરંતુ મેન્યુફેક્ચરર સામે પણ કાયદેસર પગલાં ભરવામાં આવશે. આવી કાર્યવાહીથી બજારમાં નકલી અથવા ઓછી ગુણવત્તાવાળા ખાદ્ય તેલના વેચાણ પર નોંધપાત્ર નિયંત્રણ આવશે એવી સંભાવના છે.

યાત્રાધામમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી ખાદ્યસામગ્રીની શુદ્ધતા અને સુરક્ષા અત્યંત અગત્યની છે. વિભાગની આ કાર્યવાહીથી સ્થાનિક બજારમાં ચકચાર મચી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!