અમદાવાદના ઓમ નગર રેલ્વે ફાટક પર 3 વર્ષથી અધૂરો અંડરબ્રિજ, જનજીવન અસ્તવ્યસ્ત — AAP નેતા ગૌરી દેસાઈનો આક્રોશ

SHARE:

રીપોર્ટર : ભાવિક પટેલ (અમદાવાદ)

ઠક્કરબાપા વિસ્તારમાં અંડરબ્રિજના કામમાં વિલંબથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓ મુશ્કેલીમાં
ઇમરજન્સી સેવાઓ સુધી પહોંચવામાં પણ વાહનો અટવાતા હોવાનો આરોપ

અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં આવેલા ઓમ નગર રેલ્વે ફાટક પર છેલ્લા ત્રણ વર્ષથી અંડરબ્રિજનું કામ અધૂરૂં હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગૌરી દેસાઈ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ગૌરી દેસાઈએ જણાવ્યું કે અંડરબ્રિજ અધૂરો હોવાથી બાળકો, વૃદ્ધો અને દર્દીઓને રોજિંદી અવરજવર માટે ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. માત્ર પાંચ મિનિટના રસ્તા માટે લોકોને 30 મિનિટનો ફેરો મારવો પડે છે.
તેમણે વધુમાં કહ્યું કે અનેક બાળકો રોજ જીવ જોખમમાં મૂકી રેલ્વે ફાટક પાર કરવા મજબૂર બન્યા છે, જે ગંભીર બાબત છે. સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ અવરોધિત હોવાથી ઇમરજન્સી સમયે પણ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો અટવાઈ જાય છે.
AAP નેતા ગૌરી દેસાઈએ ચેતવણી આપી કે જો તાત્કાલિક અંડરબ્રિજનું કામ શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Leave a Comment

और देखें
error: Content is protected !!