AAP MLA ચૈતર વસાવા દોષિત જાહેર: વન કર્મી પર હુમલા કેસમાં પત્ની સહિત 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા

SHARE:

ચૈતર વસાવાને કોર્ટનો મોટો ઝટકો

ગુજરાતના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

પત્ની સહિત કુલ 9 આરોપીઓ દોષિત

આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં,  કુલ 10 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. તમામ સામે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવો અને ધમકી આપવાના આરોપો હતા.

શું હતો સમગ્ર મામલો?

નવેમ્બર 2023 દરમિયાન નોંધાયેલી ફરિયાદ મુજબ, ચૈતર વસાવા પર આરોપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને તેમની સાથે મારપીટ કરી હતી. આ કેસમાં હવામાં ફાયરિંગ કરીને ધમકાવવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. ઘટનાના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.

10 વર્ષ સુધીની સજાની જોગવાઈ

સરકારી વકીલ વંદનાબેન ભટ્ટના જણાવ્યા અનુસાર, કેસમાં લાગુ થયેલી કેટલીક કલમો હેઠળ આરોપીઓને મહત્તમ 10 વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે. હાલ કોર્ટમાં સજાની સુનાવણી ચાલી રહી છે અને બપોર બાદ તમામ આરોપીઓને કેટલી સજા ફટકારવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે.

કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ચુકાદાને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત નર્મદા જિલ્લા કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્ટ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

રાજકીય ભવિષ્ય પર સવાલો

ચૈતર વસાવા ગુજરાતમાં AAPના અગ્રણી આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. કોર્ટના આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. હવે સૌની નજર કોર્ટ દ્વારા જાહેર થનારી સજા પર ટકેલી છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!