હાઈકોર્ટ બાદ સુરત પાલિકાની કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન મામલે ઉઠેલા વિવાદ અને હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ સુરત મહાનગરપાલિકાએ મોટું પગલું ભર્યું છે. તપાસ સમિતિના અહેવાલના આધારે બે કાર્યપાલક ઈજનેર સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.
કેમ થઈ કાર્યવાહી?
30 મે 2026ના રોજ સેન્ટ્રલ ઝોનના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિએ પોતાની રિપોર્ટ રજૂ કર્યા બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ 5 અધિકારીઓ સસ્પેન્ડ
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં:
-
કાર્યપાલક ઈજનેર સુજલ કુમાર પ્રજાપતિ
-
કાર્યપાલક ઈજનેર જયાંગ જીવનરામજીવાલા
-
ડેપ્યુટી ઈજનેર અર્પણ પરમાર
-
આસિસ્ટન્ટ ઈજનેર મોનિક ગઢીયા
-
જુનિયર ઈજનેર નરેશ ગલચર







