શુક્રવાર ના રોજ મહેસાણા દૂધસાગર ડેરીમાં ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ નું જૂથ સામસામે આવી ગયું હતું જેમાં યોગેશ પટેલે ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેન અશોક ચૌધરી ને પ્રશ્ન પૂછતા તેમણે ઉશ્કેરાઈ જઈ તેમને લાફો મારી દીધો હોવાનો આક્ષેપ કરી મહેસાણા B ડિવિઝન ખાતે તેમના જૂથ સાથે અશોક ચૌધરી સામે ફરિયાદ નોંધાવવા પહોચ્યા હતા ત્યારે દૂધ સાગર ડેરી ના લાફા કાંડ મુદ્દે ચેરમેન અશોક ચૌધરી નો રસપ્રદ ખુલાસો સામે આયો છે.
અશોક ચૌધરીએ લાફા કાંડ મુદ્દે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમની ઉપર લાફો મારવાનો જે આક્ષેપ થયો છે તે ખોટો છે.ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર વ્યાપેલો નથી.જ્યાર થી ડેરીમાં સત્તા પરિવર્તન થયેલું છે ત્યારબાદ ડેરી નો વિકાસ થયેલો છે.ડેરીમાં પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે.છેલ્લા સાડા ચાર વર્ષ થી ડેરી ના સુલભ અને કુશળ વહીવટથી પશુચાલકો ખુશ છે અને તેમના ઉપર જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયા વિહોણા છે.વાઇસ ચેરમેન યોગેશ પટેલ જે પ્રશ્નો લઈને આવ્યા હતા એ બોર્ડ મિટિંગ પહેલા જ ડિરેક્ટરોને આજે ઝગડો કરવાના છે તેવું તેમણે કહ્યું હતું.યોગેશ પટેલે અસભ્ય વર્તન કર્યું હોવા છતાં અમે તેમને સમજાવ્યા હતા પરંતુ તો પણ તેઓ બોર્ડ રૂમમાંથી બહાર નીકળી ગયા હતા . તેમણે જે લાફો મારવાનો આક્ષેપ કર્યો છે તે પાયા વિહોણા ખોટો છે અને તે આજે બોર્ડ મિટિંગમાં વાતાવરણ ડહોળવાજ આવ્યા હતા.
શું ચેરમેન અશોક ચૌધરી વાઇસ ચેરમેન ઉપર હુમલો કરવા પંકાયેલા ??
દૂધસાગર ડેરીમાં આજે થયેલા લાફા કાંડ મામલે વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે આક્ષેપ કર્યો છે જે મામલે અશોક ચૌધરીએ સમગ્ર આક્ષેપ ને ફગાવી દીધા છે ત્યારે ભૂતકાળમાં પણ આવા કાંડ સામે આવ્યા હતા.ભૂતકાળમાં વાઇસ ચેરમેન મોઘજી ભાઈ ચૌધરી હતા ત્યારે પણ તેમના ઉપર હુમલો થયો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.ભૂતકાળ અને અત્યારે થયેલા આક્ષેપ મુદ્દે એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે અશોક ચૌધરી ડેરીમાં એકહથ્થુ શાસન કરવા ટેવાયેલા છે અને તેમની સામે પ્રશ્નો કરવા વાળા ને તેઓ ગણકારતા નથી.જોકે અત્યારે વાઇસ ચેરમેન યોગેશ પટેલ ના આક્ષેપ મુદ્દે સાચી વિગતો તપાસ બાદ જ બહાર આવશે.






