મુસ્લિમ ધર્મમાં તાજિયા નું કેટલું વિશેષ મહત્વ છે જાણીએ Samachardiary24*7 ના વિશેષ રિપોર્ટમાં

SHARE:

મુસ્લિમ સમુદાય માટે મોહરમ મહિનો એ નવા વર્ષનો મહિનો છે.નવા વર્ષના નવમાં અને દશમાં દિવસે મુસ્લિમોએ બનાવેલા તાજીયાનું જુલુસ કાઢવા માં આવે છે.મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મહોરમ નિમિતે છેલ્લા કેટલાક સમયથી કમિટીઓના યુવાનો બાળકો સહિતના લોકો મહોરમ માટે બનાવવામાં આવતા તાજિયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.

 

કડી શહેરમાં આ વખતે મહોરમ નિમિતે આજે રાત્રે ત્રણ જગ્યાએથી તાજિયા કાઢવામાં આવ છે જેમાં મોટા મકાનના પીર દરગાહ થી નીકળી સહારા ચોક આવશે ત્યારબાદ સરકારી શાળા થઈ તાજિયા ઘુમ્મટિયા પહોંચશે ત્યાંથી પરત મોટા પીર ના મકાન પહોંચશે ત્યાર બાદ દશમાં ચાંદ ના દિવસે ફરી થી તાજિયા નીકળી મોટા પીર ના મકાને પાણી છાંટી ઠંડા કરવામાં આવશે.મહોરમ નિમિતે મુસ્લિમ સમુદાયમાં અત્યારે ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે.

હાથ થી બનાવામાં આવે છે તાજિયા :–

 મહોરમ નિમિતે બનાવવામાં આવતા તાજિયા હાથ થી બનાવવામાં આવે છે.તાજિયા બની ગયા બાદ તેમને જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે.હિન્દુ અને મુસ્લિમો આસ્થા અને શ્રદ્ધા અનુસાર તાજિયા ખાતે માનતા પૂર્ણ કરવા આવતા હોય છે ત્યારબાદ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે.

 

ઇમામ હુસેને માનવધર્મને બચાવવા આપી હતી કુરબાની :– મહોરમ ના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી હોતી પરંતુ કરબલામાં ઈમામ હુસૈન દ્વારા માનવધર્મ ને બચાવવા માટે કુરબાની આપી હતી.ઇમામ હુસેનની કુરબાની નો સંદેશ લોકો સુધી પહોંચે તેમજ લોકો મહોરમ ની શહીદી થી માહિતગાર થાય તે માટે ઉજવણી કરવામાં આવતી હોય છે.જુલુસ માં શ્રીફળ, દૂધ કોલ્ડ્રીંક્સ,ખીચડો આપવાની પરંપરા હોય છે. ઇમામ હુસૈન ના આદર્શ અને સંસ્કારો દરેક માનવી અપનાવી સમાજમાં શાંતિ અને ભાઈચારા નું વાતાવરણ ફેલાય તે માટે મહોરમ ઉજવવામાં આવે છે.

 

મુસ્લિમો યુદ્ધમાં સાથે નહીં હોવાનો શોક મનાવે :– ઇસ્લામ ધર્મના લોકો મહોરમ ના દિવસે તાજિયા કાઢીને શોક મનાવે છે.મહોરમના દિવસે નીકળેલા જુલુસમાં મુસ્લિમ લોકો આખા રસ્તે માતમ મનાવે છે અને યા હુસૈન અમે ન થયા કહીને ઇમામ હુસૈન ની શહાદત ઉપર શોક વ્યક્ત કરે છે.

 

કરબલા યુદ્ધ :– ઇરાકના કરબલામાં ઇ. સ. 624 માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુધ્ધ થયું હતું જેમાં અત્યાચારી શાસક યજીદ ના લશ્કરે ઇસ્લામના પયગંબર હજરત મહંમદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા હતા.કરબલાના શહીદો ની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે.કરબલામાં ધર્મયુદ્ધ માં 72 યોદ્ધાઓની શહીદી વહોરી હતી તેમને દર વર્ષે મહોરમ નિમિતે યાદ કરવામાં આવે છે.
તાજિયા પાણી થી ઠંડા પાડવામાં આવે છે :– ભારતમાં માનવ ધર્મની સવિશેષ સેવા કરવાની સંસ્કૃતિ છે.મહોરમ માનવ ધર્મ કાજે ઈમામ હુસૈન ની આપેલી શહીદી ને યાદ કરવાનો અવસર હોવાથી તાજિયા પડમાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમ યુવાનો ઉઘાડા પગે ચોકારો લે છે અને કરબલાના શહીદો ભૂખ તરસ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરીને પાણી પીવડાવવાની અને પાણી છાંટવાની એક વિશેષ પરંપરા હોય છે.

Leave a Comment

और देखें
error: Content is protected !!