બહુચરાજી તાલુકાના રૂપપુરા ગામમાં દારૂનું દૂષણ દૂર કરવા ગ્રામજનોએ મોરચો માંડ્યો છે
રૂપપુરા ગામની દેશી દારૂ ની ભઠ્ઠીઓ ઉપર થી આસજોલ, કરણપુરા, ધનપુરા,ચડાસણા,ઈન્દ્રપ,મરતોલી,રાંતેજ સહિતના ગામોમાં દારૂ થાય છે સપ્લાય..
શક્તિપીઠ બહુચરાજી તાલુકાના કેટલાક ગામડાઓમાં દેશી વિદેશી દારૂનું દૂષણ વધી રહ્યું છે.ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર હોવાનું અને બહુચરાજી તાલુકામાં ધમધોકાર દારૂ વેચાઈ રહ્યો હોવાનું અને પીવાઈ રહ્યો હોવાનું ગ્રામજનોના હોબાળા બાદ વધુ એક વખત સામે આવ્યું છે.રૂપપુરા સહિતના ગામડાઓમાં દારૂ તેમજ જુગાર ની પ્રવૃતિઓએ માઝા મૂકી છે અને દારૂના રવાડે ચડી ગયેલા લોકો નાની ઉમરમાં મોતના ભેટતા હોય છે જેથી નાની ઉમરના લોકોના મૃત્યુ આંકમાં વધારો,ચોરી સહિતની અસમાજિક પ્રવૃતિઓમાં વધારો થયો છે તેવામાં રૂપપુરા ગ્રામજનોએ બહુચરાજી મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે દારૂ જુગાર નુ દૂષણ દૂર કરવા આવેદનપત્ર આપી મોરચો માંડ્યો છે.
ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રૂપપુરા ગામમાં વર્ષો થી દેશી દારૂ તથા જુગાર ની પ્રવૃતિઓ થી રૂપપુરા – લીલાપુરા ગામમાં કેટલીય બહેનો નાની ઉમરમાં વિધવા થઈ છે અને તેમના સંતાનો ના શિક્ષણ ઉપર ખરાબ અસર પડી રહી છે.અસામાજિક તત્વો સરકારી પ્રાથમિક શાળા ની મિલકતને નુકશાન પહોંચાડે છે ગામમાં શાંતિ ડહોળે છે જેથી આવા તત્વો ઉપર અંકુશ લગાવવો જરૂરી છે.દીકરીઓ ને અસમાજિક તત્વોના ડર થી અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે અને રૂપપુરા ગામની દેશી દારૂની ભઠ્ઠીઓ વાળા આસજોલ, કરણપુરા,ધનપુરા,ઈન્દ્રપ,મરતોલી અને રાંતેજ સહિતના વિસ્તારોમાં નજીકની કંપનીઓમાં ખુલ્લેઆમ દારૂનું સપ્લાય કરી રહ્યા છે.

દારૂના દૂષણ સામે ગ્રામજનો તો જાગ્યા પરંતુ પોલીસ ક્યારે જાગશે તે એક મોટો સવાલ ???
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે ફક્ત કાગળ ઉપર છે.દારૂબંધી નુ પાલન કરાવનાર પોલીસ જ હપ્તરાજમાં રાચી દારૂના વેચાણ અને પીવા ઉપર અંકુશ નહીં મૂકતા ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો હોવાની હકીકત સ્પષ્ટ છે.દારૂના દૂષણ સામે હવે ગ્રામજનો એ મોરચો માંડી અવાજ ઉઠાવ્યો છે પરંતુ પોલીસ તંત્ર ક્યારે જાગશે તે એક મોટો સવાલ તંત્ર સામે પેદા થઈ રહ્યો છે.






