મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાને ગામડાઓ સુધી જોડતા રોડ ના રિપેરિંગ કામ માં ભ્રષ્ટાચાર ની બુમરાડ ઉઠવા પામી છે.

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગામડાઓના રોડ રસ્તા ની હાલત બિસ્માર બની છે.રોડ ઉપર ખાડા નહીં પરંતુ ખાડાઓમાં રોડ હોય તેવી પરિસ્થિતિ ઉદભવી છે.વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.વાહનચાલકો ના વાહનો તૂટી રહ્યા છે તો બીમાર માણસો વધુ બીમાર પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે ઉપરાંત વિધાર્થીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા માં પડેલા ખાડા ના લીધે રસ્તા ના સમારકામ ની બુમરાડ ઉઠવા પામી હતી જે અનુસંધાને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ નું પેચ વર્ક કરવામાં આવ્યું હતું જેમાં જોટાણા થી જાકાસણા રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ રોડ માં પડેલા ખાડા પૂરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચર્ચા જામી છે.રોડ ના સમારકામ માં ખાડા પુરવા ડામર તો પાથરવામાં આવ્યો પરંતુ એજન્સી દ્વારા તેના ઉપર રોલર ફેરવવાની પણ તસ્દી લેવામાં આવી નહીં અને દસ થી પંદર દિવસમાં ફરી થી રોડના ખાડા દેખાઈ આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.એક બાજુ લોકો ખાડા ના લીધે પરેશાન છે ત્યારે આવા ભ્રષ્ટાચારી પાકોની તકલીફોમાં પણ રૂપિયા રળવાનો મોકો છોડતા નહીં હોવાની ચર્ચા અત્યારે તો જોટાણા પંથકમાં જામી છે.






