નમસ્કાર અને સ્વાગત છે તમારું સમાચાર ડાયરી 24X7માં….
ગુજરાતના રાજકારણમાં આજે ભૂકંપ આવ્યો છે. મંત્રીમંડળના પુનર્ગઠન બાદ ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં એક મોટો સંદેશ ગયો છે, અને તે છે અસંતોષનો!
સૌથી મોટો ચહેરો, જેમને મોટું ઇનામ મળ્યું છે, તે છે ઋષિકેશ પટેલ (Rishikesh Patel). મજબૂત પાટીદાર ચહેરો, જેમને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારનું નેતૃત્વ સોંપાયું છે. કોંગ્રેસ પાસેથી આ બેઠકો છીનવીને ભાજપનો ઝંડો લહેરાવવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે. તેમને મંત્રીમંડળમાં મુખ્ય ભૂમિકા મળી છે, જે ભાજપની રણનીતિનો ભાગ છે.
પરંતુ સવાલ એ છે કે ‘ઠાકોર’ સમાજનું શું?
પક્ષના મજબૂત નેતા અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર (Lavingji Thakor) નું નામ મંત્રીમંડળની યાદીમાંથી ગાયબ થતાં ઠાકોર સમાજમાં અને ગ્રામ્ય બેઠકો પર સખ્ત નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. લવિંગજી ઠાકોર ‘નાખુશ’ છે, ‘દુ:ખી’ છે અને તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાનો ‘અસંતોષ’ વ્યક્ત કરી રહ્યા છે.
જ્યારે એક તરફ સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor) જેવા અન્ય ચહેરાઓને સ્થાન મળ્યું છે, ત્યારે લવિંગજી ઠાકોરને કેમ બાકાત રખાયા? શું આનાથી આવનારી ચૂંટણીઓમાં મોટું નુકસાન થઈ શકે છે? શું લવિંગજી ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર વચ્ચેની જૂથબંધીનો આ પરિણામ છે?
સમાચાર ડાયરી 24X7 પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે, આ નારાજગી આગામી દિવસોમાં મોટો રાજકીય રંગ પકડી શકે છે. ઠાકોર સમાજ આ નિર્ણયથી અત્યંત ‘ગુસ્સે’ છે અને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે!






