અહેવાલ – લાભુજી ઠાકોર ( માંડલ )
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની તંગીનો મુદ્દો ચરચામાં રહ્યો છે. ગામના લોકો પીવાના શુદ્ધ પાણી માટે દૂરદૂર સુધી ભટકાતા હતા અને પાણી પુરવઠો અનિયમિત હોવાને કારણે દૈનિક જીવન પ્રભાવિત થતું હતું. ગ્રામજનોની રજૂઆત બાદ ગામમાં નવી બોરવેલ મંજૂર કરવામાં આવી હતી.
આ બોર માટે લોક ફાળાની રકમ રૂપિયા 2,43,391/- નો ચેક જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા ફાળવવામાં આવ્યો હતો. આ ચેક આજે વિરમગામ ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર ની કચેરી, જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગમાં ઉપ સરપંચ કિશન સિંધવ દ્વારા રૂબરૂ હાજરી આપી સત્તાવાર રીતે જમા કરવામાં આવ્યો હતો.
ચેક જમા થતાં હવે આગળની ટેકનિકલ પ્રક્રિયા,
પાઈપલાઈન અને બોરવેલ ના કાર્યને ઝડપથી આગળ ધપાવવામાં આવશે તેવી માહિતી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવી છે.
કામ ટૂંક સમયમાં શરૂ થાય એની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉપ સરપંચ કિશન સિંધવે જણાવ્યું કે—
“દાલોદ ગામ પાણીની તંગીનો સામનો કરી રહ્યું હતું. લોક ફાળો જમા થતાં હવે બોરનું કામ ઝડપથી શરૂ થશે અને થોડા સમયમાં ગ્રામજનોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળશે.”
સ્થાનિક લોકો પણ આ કામ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ગામના રહેવાસીઓએ જણાવ્યું કે બોરવેલ કાર્ય પૂર્ણ થતાં જ પાણી માટે દૈનિક પરેશાનીમાં ઘટાડો થશે અને ઉનાળાની ઋતમાં ખાસ રાહત મળશે.
પંચાયતનો સ્ટાફ અને અધિકારીઓએ આ કામગીરીને ઝડપ અપાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કામગીરી પૂર્ણ થાય બાદ ગામમાં પાણી પુરવઠાની સ્થિર અને સુદ્રઢ વ્યવસ્થા ઉભી થશે.






